નવી દિલ્હીઃ બોલીવુડમાં ઘણા સેલિબ્રિટી કોરોના વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે. રણબીર કપૂર બાદ જાણીતા ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી  (Sanjay Leela Bhansali) નું નામ સામે આવ્યું છે. બોલીવુડ લાઇફના અહેવાલ પ્રમાણે સંજય લીલા ભણસાલી કોરોનાથી સંક્રમિત થયા છે. સંજયનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ભાલિયા ભટ્ટની આવનારી ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડી  (Gangubai Kathiawadi) નું શૂટિંગ રોકી દેવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કહેવામાં આવી રહ્યું છે કે આલિયા ભટ્ટ (Alia Bhatt) પણ સેલ્સ આઇસોલેશનમાં છે. તે પણ સંજય લીલા ભણસાલીની આવનારી ફિલ્મમાં છે. થોડા દિવસ પહેલા ફિલ્મનું ટીઝર પણ આવ્યું હતું, જે ખુબ વાયરલ થયું હતું. 


આ ફિલ્મમાં વ્યસ્ત છે સંજય લીલા ભણસાલી
ગંગૂ બાઈ કાઠિયાવાડી (Gangubai Kathiwadi) માં આલિયા ભટ્ટ (Alia Bhatt) મુખ્ય ભૂમિકામાં છે. કોરોના સંક્રમણ બાદ સંજય લીલા ભણસાલીએ પોતાને ક્વોરેન્ટીન કરી લીધા છે. મહત્વનું છે કે સંજય લીલા ભણસાલી પોતાની આવનારી ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડિના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 30 જુલાઈ 2021ના રિલીઝ થવાની છે. 


આ પણ વાંચોઃ રીલિઝ થયું 'Saina'નું Trailer, 'ચીનની દિવાલ' તોડવા આવી રહી છે Parineeti Chopra


રણબીર કપૂરને પણ કોરોના
મહત્વનું છે કે નીતૂ કપૂરે મંગળવારે જાણકારી આપી કે રણબીર કપૂર (Ranbir Kapoor) કોરોનાથી સંક્રમિત થયો છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં આ જાણકારી આપી છે. તેમણે પોસ્ટમાં લખ્યું, તમારા બધાની ચિંતા અને શુભકામનાઓ માટે આભાર. રણબીર કોવિડ-19નો શિકાર થઈ ગયો છે. તે આ સમયે દવાઓ લઈ રહ્યો છે અને જલદી રિકવર થઈ જશે. તે હાલ સેલ્ફ ક્વોરેન્ટાઈનમાં છે. બધા નિયમોનું પાલન રણબીર કરી રહ્યો છે. 


સામે આવ્યું નથી સંજયનું નિવેદન
સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali) તરફથી હજુ કોઈ ઔપચારિક જાણકારી આપવામાં આવી નથી. સંજય આ દિવસોમાં ખુબ વ્યસ્ત હતા. તેઓ અજય દેવગનની સાથે પણ વર્ષો બાદ ફરી કામ કરવાના છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube