Ranbir Kapoor On Married Life: ફિલ્મ 'શમશેરા'નું ટ્રેલર લૉન્ચ થઈ ગયું છે. ટ્રેલર લૉન્ચ દરમિયાન સુપરસ્ટાર રણબીર કપૂરે પોતાના અંગત જીવન અંગે ખુલીને વાત કરી. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બૉલીવુડના પૉવર કપલ્સમાંથી એક છે. રણબીર અને આલિયા જ્યારથી લગ્ન જીવનમાં બંધાયા છે ત્યારથી લોકોને બંનેની મેરિડ લાઈફ અંગે જાણવાની ઉત્સુક્તા રહી છે. અત્યાર સુધી નીતુ કપૂર આ મામલે ખુલીને વાત કરી રહી હતી તેવામાં હવે રણબીર પણ પોતાની મેરિડ લાઈફ અંગે ખુલીને વાત કરતા જોવા મળ્યા છે. શમશેરાના ટ્રેલર લૉન્ચ પહેલા રણબીરે ખુલીને પોતાની મેરિડ લાઈફ અને આલિયા અંગે વાત કરી છે. રણબીરની વાતોને સાંભળીને લોકો ખડખડાટ હસી પડ્યાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફિલ્મ શમશેરાના ટ્રેલર લૉન્ચ પર રણબીર કપૂરે મેરિડ લાઈફ અંગે ખુલીને વાત કરી છે. રણબીરે કહ્યું, ગત બે વર્ષ બધા જ લોકો માટે ખરાબ રહ્યાં છે. પરંતુ મારા માટે તો વધારે જ ખરાબ હતા. મે મારા પિતાને ગુમાવ્યા છે. આજે તે હોત તો આ ફિલ્મ જોઈને ખુબ ખુશ થયા હોત, પરંતુ આ વર્ષ મારા માટે ઘણુ સારુ છે. આલિયા સાથે મારા લગ્ન થયા ને મારા કરિયરની બે મોટી અને ખુબ જ શાનદાર ફિલ્મો રીલિઝ થવા જઈ રહી છે.



રણબીરે પોતાના લગ્ન જીવન અંગે વાત કરતા જણાવ્યું કે પહેલા હું કહેતો હતો કે શું કોઈ વ્યક્તિ જીંદગી ભર દાળ ભાત ખાઈ શકે. જીવનમાં ક્યારે ચિકન મટન, ચાઈનીઝ અને કબાબ પણ હોવા જોઈએ ને. પરંતુ હવે લગ્ન પછી એટલો અનુભવ થઈ ગયો છે કે જીવનમાં દાળ ભાત સારા છે. બાઈ કઈ નહીં.  આલિયા જ મને દાળમાં વઘાર કરીને દાળ ભાત ખવડાવે છે. અત્યારે જીવનમાં જે કઈ પણ છે તે આલિયા જ છે. મને જીવનમાં આલિયાથી સારુ પાત્ર નહીં મળી શકે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube