મુંબઈ : બોલિવૂડનો સુપરસ્ટાર રણબીર કપૂર પોતાના આગવા અંદાજ માટે જાણીતો છે. રણબીર ભાગ્યે જ જાહેરમાં કમેન્ટ કરતો હોય છે પણ હાલમાં તેણે કોઈ સપનામાં પણ વિચારી ન શકે એવી હરકત કરી છે. 


મુંબઈ એરપોર્ટ પર રણબીરને ક્લિક કરવા પહોંચેલા પાપારાઝીને રણબીરે સીધો સવાલ કર્યો હતો કે તેણે ચંપલ ક્યાંથી લીધા? ફોટોગ્રાફરે જવાબ આપ્યો- અંધેરી સ્ટેશન. આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં રણબીર સામાન્ય રીતે મોંઘી બ્રાન્ડ્સના કપડાં અને શૂઝ પહેરવા માટે જાણીતો છે. તે એક ટી-શર્ટ પાછળ પણ 40,000 રૂપિયા ખર્ચતા વિચારતો નથી. આવામાં તેણે ફોટોગ્રાફરને સ્ટેશન પાસેથી ખરીદેલા ચંપલ અંગે પૂછતા ચાહકોમાં ઉત્સુકતા વધી ગઈ છે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...