Sonakshi Sinha Zaheer Iqbal: થોડા સમય પહેલા જ બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહાએ તેના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા છે. તાજેતરમાં જ તેમના લગ્નને એક મહિનો પૂરો થયો છે. તેમણે પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં ઘરમાં જ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા બંને એકબીજાને 7 વર્ષથી ડેટ કરી રહ્યા હતા. હાલ તો સોનાક્ષી સિંહા ઝહીર ઈકબાલ સાથે હનીમૂન પિરિયડ માણી રહી છે. સોશિયલ મીડિયા પર બંને પોતાની તસ્વીરો પણ શેર કરતા રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: બેડ ન્યુઝ ફિલ્મની ઓટીટી રિલીઝની રાહ જોતા લોકો થઈ જાય ખુશ, જાણો ક્યાં થશે રિલીઝ


આ બધા વચ્ચે તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં સોનાક્ષી સિંહાએ પતિ ઝહીર ઈકબાલના કેટલાક સિક્રેટનો ખુલાસો પણ કર્યો છે. આ સિક્રેટ એવા છે જેનાથી તે પણ કંટાળી ગઈ છે. એક ઇન્ટરવ્યૂમાં સોનાક્ષી સિન્હાને પૂછવામાં આવ્યું હતું કે પતિ ઝહીર ઈકબાલને કઈ વાત કે સહન કરી શકતી નથી. ? આ વાતના જવાબમાં અભિનેત્રીએ ઝહીર ઈકબાલની સૌથી ખરાબ આદત વિશે જણાવ્યું હતું. 


આ પણ વાંચો: ઝહીરે લગ્ન માટે માંગ્યો સોનાક્ષીનો હાથ ત્યારે શત્રુઘ્ન સિંહાનું આવું હતું રિએકશન


સોનાક્ષી સિંહા એ જણાવ્યું હતું કે ઝહીર ઈકબાલને સીટીઓ વગાડવાની આદત છે. તે સારી સીટી વગાડે છે પરંતુ જ્યારે તે સોનાક્ષીની આસપાસ હોય અને સતત સીટીનો અવાજ આવતો રહે તો તેનાથી સોનાક્ષી ઇરેટેડ થઈ જાય છે. ઝહીર ઈકબાલની સતત સીટી વગાડવાની આદતથી સોનાક્ષી સિંહાને પણ કંટાળો આવે છે. ખાસ કરીને જ્યારે તે મ્યુઝિક સાંભળતી હોય ત્યારે ઝહીરની આ હરકત તેને ઈરીટેટ કરે છે.


આ પણ વાંચો: Nick-Priyanka: નિક જોનસે 6 વર્ષ પછી શેર કર્યો પ્રિયંકાને પ્રપોઝ કરી ત્યારનો ફોટો


સોનાક્ષી સિંહા ઇન્ટરવ્યૂમાં એ વાતનો ખુલાસો પણ કર્યો હતો કે તેણે સૌથી પહેલા ઝહીર ઇકબાલને કહ્યું હતું કે ઝહીરને પ્રેમ કરે છે. તેણે પહેલાથી ઝહીરને કહી દીધું હતું કે તે ઝહીર સાથે જ લગ્ન કરશે. ત્યાર પછી તેઓ એકબીજાને મળતા રહ્યા. જેમ જેમ તેઓ એકબીજાને ઓળખવા લાગ્યા તેમ તેમનો સંબંધ પણ ગાઢ થઈ ગયો અને 7 વર્ષના અંતે સ્થિતિ એવી હતી કે ઝહીર ઈકબાલને પણ સોનાક્ષી સાથે લગ્ન કરવા હતા.