નવી દિલ્હી: બોલીવુડ અભિનેતા શેખર સુમન (Shekhar Suman)ને લાગે છે કે સીબીઆઇ, એનસીબી અને ઈડી જેવી તપાસ એજન્સીઓ અપૂરતા પૂરાવાના કારણે સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોતના મામલે લાચાર છે. તપાસની હાલની સ્થિતિ વિશે પોતાનું મંતવ્ય શેર કરતાં શેખરે ટ્વીટ કર્યું 'મને લાગે છે કે સુશાંતના કેસમાં CBI, NCB અને EDના ત્રણ વિભાગોએ પૂછપરછ, તપાસ ને ધરપકડ કરીને એક સારું કામ કર્યું છે, પરંતુ મને લાગે છે કે અપુરતા પુરાવાના કારણે અસહાય છે. એટલા માટે આપણે રાહ જોવી પડશે અને જોવાનું રહેશે કે શું તે લકી સાબિત થાય છે.  


તાજેતરમાં જ અભિનેતા શેખર સુમને પ્રશ્ન કર્યો કે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતના સંબંધમાં સીબીઆઇનું અત્યાર સુધી કોઇ અપડેટ કેમ નથી આવ્યું. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube