સુશાંત સિંહ રાજપૂત ભલે આજે આપણી વચ્ચે નથી પરંતુ બોલીવુડના અનેક સિતારા એવા છે જેમની સાથે અભિનેતા ખુબ સંપર્કમાં રહેતો હતો. આવા જ એક અભિનેતા છે મનોજ બાજપેયી. મનોજ બાજપેયીએ હાલમાં જ એક ઈન્ટરવ્યું આપ્યો જેમાં જણાવ્યું કે સુશાંત સિંહ રાજપૂતના મોતના 10 દિવસ પહેલા અભિનેતા સાથે તેમની શું વાત થઈ હતી. તેમણે એ પણ જણાવ્યું કે સુશાંત કઈ વાતથી પરેશાન હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખુબ પરેશાન હતો સુશાંત
મનોજ બાજપેયીએ આ વાતો સિદ્ધાર્થ કનનને આપેલા એક ઈન્ટરવ્યુંમાં કહી. અભિનેતાએ કહ્યું કે, સુશાંત બ્લાઈન્ડ આર્ટિકલ એટલે કે એવા આર્ટિકલ કે જેમાં કોઈ સત્ય હોતું નથી તેવા આર્ટિકલથી ખુબ પરેશાન હતો. તે ખુબ સારો માણસ હતો અને જે સારા હશે તેઓ આ પ્રકારના આર્ટિકલથી પરેશાન હશે. તે  હંમેશા મને પૂછતો હતો કે સર હું શું કરું? હું હંમેશા તેને કહેતો હતો કે તેના વિશે આટલું બધુ ન વિચાર્યા કર. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube