Taarak Mehta Ka Ooltah Chashmah News: છેલ્લા એક દાયકાથી પણ વધુ સમયથી દર્શકોના હ્રદય પર રાજ કરતો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો હજુ પણ એ જ રીતે દર્શકોનું ભરપૂર મનોરંજન કરે છે. અનેક પાત્રો તો એવા છે જેમણે દર્શકોના હ્રદય પર એવી અમીટ છાપ છોડી છે જેને ભૂંસવી અશક્ય છે. જેમાં ચંપકકાકા એટલે કે બાપુજીનું પાત્ર, જેઠાલાલ, દયાલાલ, બબીતાજી, ટપુ વગેરે સામેલ છે. આમ તો દરેક પાત્રની એક અલગ ફેન ફોલોઈંગ છે પરંતુ આ પાત્રોએ જબરદસ્ત લોકપ્રિયતા આ શો દ્વારા મેળવી છે. આવું જ એક પાત્ર છે બાપુજી...જેને શરૂઆતથી જ અમિત ભટ્ટ નામના કલાકાર ભજવે છે. પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે આ બાપુજીના પાત્ર માટે અમિત ભટ્ટ એ મેકર્સની પહેલી ચોઈસ નહતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત ભટ્ટ છેલ્લા 14 વર્ષથી આ શોનો ભાગ છે અને બાપુજીના પાત્રને તેમણે પોતાના અભિનયથી લોકપ્રિય બનાવી દીધુ છે. પરંતુ મેકર્સ માટે અમિત ભટ્ટ આ પાત્ર માટે પહેલી પસંદગી નહતા કારણ કે મેકર્સના મનમાં તે સમયે એક એવા કલાકાર હતા જેમને તેઓ ચંપકકાકા માટે એકદમ પરફેક્ટ કલાકાર માનતા હતા. હવે તમને પણ એવું થતું હશે કે આખરે એવા કયા કલાકાર વિશે મેકર્સના મનમાં વિચાર ચાલતા હતા તો તમને જણાવીએ કે આ કલાકાર બીજુ કોઈ નહીં પરંતુ હાલ જેઠાલાલ બનીને લોકોને હસાવી હસાવીને પેટ દુખાડી દેનારા દિલિપ જોશી છે. મેકર્સ ઈચ્છતા હતા કે બાપુજીનું પાત્ર દિલિપ જોશી ભજવે. પરંતુ એ શક્ય બન્યું નહીં અને પછી પસંદગીનો કળશ અમિત ભટ્ટ પર ઢોળાયો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube