ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હાલ વિવાદમાં છે. એક પછી એક તેમાં કામ કરી ચૂકેલા કલાકારો શો સામે અવાજ ઉઠાવી રહ્યા છે. જેનિફર મિસ્ત્રી બાદ હવે આ શોમાં બાવરીની ભૂમિકા ભજવતી અભિનેત્રી મોનિકા ભદૌરિયા સામે આવી છે. મોનિકાએ કહ્યું કે તેને સેટ પર ખુબ ટોર્ચર કરવામાં આવતી હતી. એટલું જ નહીં તેણે એવો પણ દાવો કર્યો કે મેકર્સે જબરદસ્તીથી તેની પાસે કોન્ટ્રાક્ટ સાઈન કરાવ્યો જેથી કરીને તે શો અંગ મીડિયામાં જઈને કશું બોલી શકે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ છોડ્યો શો?
પિંકવિલાને આપેલા એક ઈન્ટરવ્યુમાં મોનિકાએ કહ્યું કે હું ખુબ કૌટુંબિક ત્રાસદીઓમાંથી પસાર થઈ રહી હતી. મે ખુબ જ ઓછા સમયમાં મારી માતા અને મારી દાદા બંનેને ગુમાવી દીધા હતા. માતા અને દાદીના ગયા બાદ મને એવું લાગતું હતું કે હવે મારા જીવનમાં કશું બચ્યું નથી. આ દરમિયાન તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માટે પણ હું કામ કરતી હતી. મારી પરેશાનીઓ સમજવાની જગ્યાએ મને ટોર્ચર કરવાનું શરૂ કરી દીધુ હતું. તેઓ કહેતા હતા, તમારા પિતાનું તો મૃત્યુ થઈ ગયું હતું, અમે તમને પૈસા આપ્યા જેથી કરીને બીમાર માતાની સારવાર થઈ શકે. તેમના આ શબ્દો મને ખુબ પરેશાન કરવા લાગ્યા હતા. એવું લાગવા માંડ્યું હતું કે મારે આત્મહત્યા કરી  લેવી જોઈએ. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube