નવી દિલ્હી: નાના પડદાના લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નટુકાકાની ભૂમિકા ભજવનારા અભિનેતા ઘનશ્યામ નાયક કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે. 77 વર્ષની ઉંમરે પણ દર્શકોનું મનોરંજન કરી રહેલા અભિનેતા ઘનશ્યામ નાયકના ગળા પર કેટલાક સ્પોર્ટ્સ દેખાયા હતા. ત્યારબાદ તેમણે ડોક્ટરને બતાવ્યું. આ વર્ષ એપ્રિલમાં તેમને કેન્સર થયાનું ડિટેક્ટ થયું હતું. ત્યારબાદથી ફેન્સ તેમના માટે સતત દુઆઓ કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક્ટરે બતાવી તેમની છેલ્લી ઈચ્છા
ઘનશ્યામ નાયકના પરિવારે કીમોથેરાપી સેશન્સ શરૂ કરાવ્યા અને ફેન્સ ઈચ્છે છે કે તેમના વ્હાલા નટુકાકા જલદી સાજા થઈ જાય અને બધા વચ્ચે પાછા ફરે. જો કે આ બધા વચ્ચે એવા પણ સમાચાર આવી રહ્યા છે કે નટુકાકાએ પોતાની છેલ્લી ઈચ્છા પણ શેર કરી છે. તેમણે જણાવ્યું છે કે તેઓ ચહેરા પર મેકઅપ સાથે મોતની ચીર નિંદ્રામાં પોઢી જવા ઈચ્છે છે. 


Anupamaa માં હવે આવશે 5 ધમાકેદાર ટ્વિસ્ટ, આ દમદાર અભિનેતાની થવાની છે એન્ટ્રી, વનરાજને લાગશે આંચકો!


છેલ્લા શ્વાસ સુધી કામ કરવા ઈચ્છે છે
ઈન્સન્ટ બોલીવુડની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ મુજબ ઘનશ્યામ નાયકે પોતાની છેલ્લી ઈચ્છા શેર કરી છે. પોસ્ટ મુજબ ફેન્સના વ્હાલા નટુકાકાએ કહ્યું છે કે તેઓ પોતાના છેલ્લા શ્વાસ સુધી કામ કરતા રહેવા ઈચ્છે છે. અત્રે જણાવવાનું કે ઘનશ્યામ નાયક છેલ્લા કેટલાક વર્ષથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સાથે જોડાયેલા છે અને દર્શકોનું મનોરંજન કરે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube