Taarak Mehta Ka Ooltah Chashmah Today Episode: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ગોકુલધામ સોસાયટીના લોકોનું નસીબ પણ ખબર નહીં કેવું છે. એક મુસીબત જાય છે અને બીજી આવી જાય છે. હવે જે મુસીબતમાં ગોકુલધામ સોસાયટીનના લોકો ફસાયા છે. તેમાંથી તો માત્ર ભગવાન જ બચાવી શકે છે. સોઢીની ઉંઘ હરામ થઈ ગઈ છે. આપને એવો વિચાર આવતો હશે કે એવુ તો શું થઈ ગયું કે મસ્તમૌલા રહેનારો સોઢી આટલો હેરાન થઈ ગયો છે. આ બધી જ તકલીફ સોસાયટીમાં આવેલા એક નવા બાળક બિટ્ટુના કારણે થઈ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કહ્યાં વગર બિટ્ટુએ છોડી સોસાયટી?
આપને જણાવી દઈએ કે ગોકુલધામ સોસાયટીમાં એક નવો સદસ્ય આવ્યો છે. તેનું નામ છે બિટ્ટુ. બિટ્ટુ સોઢીના ખાસ મિત્રનો પુત્ર છે.  બિટ્ટુ ખુબ અભ્યાસમાં હોશિયાર છે પરંતુ જો કોઈ તેની સામે ભણવાનું નામ લે તો તે ભડકી જાય છે. હવે આવુ કેમ છે એ તો નથી ખબર પણ બિટ્ટુએ હાલ ગુસ્સામાં જ સોસાયટી છોડી દિધી છે. જેના કારણે ગોકુલધામના મેમ્બર્સ પણ હેરાન છે. હવે બિટ્ટુ ક્યાં છે કયા હાલમાં છે. તે કોઈને નથી ખબર.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube