નવી દિલ્હી: નવી દિલ્હી: બોલીવુડના દિગ્ગજ અભિનેતા અજય દેવગણ (Ajay Devgn) હાલમાં પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'તાનાજી: ધ અનસંગ વોરિયર (Tanhaji: The Unsung Warrior)'ને લઇને ખૂબ વ્યસ્ત છે. અજય દેવગણની આ ફિલ્મ આગામી 10 જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તો બીજી તરફ ફિલ્મનું ટ્રેલર આજે (19 નવેમ્બર)ના રોજ રિલીઝ થઇ ગયું છે. લોકો આ ફિલ્મના ટ્રેલરની રાહ જોઇ રહ્યા હતા, તેમની આતુરતા અંત આવી ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'તાનાજી'ના આ 10 પોસ્ટર તમને પિક્ચર જોવા માટે કરી દેશે મજબૂર

તમને જણાવી દઇએ કે 'તાનાજી' એક પિરિયડ ડ્રામા ફિલ્મ છે. જેમાં અજય સાથે તેમની પત્ની અને બોલીવુડની જાણિતી અભિનેત્રી કાજોલ પણ છે. 17મી શતાબ્દીની પૃષ્ઠભૂમિ પર આધારિત ઓમ રાઉત દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ભારતીય ઇતિહાસના વિસ્મૃત યોદ્ધા, છત્રપતિ શિવાજી મહારાજની સેનાના તાનાજી માલુસરેની જીંદગી પર આધારિત છે.