મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી તનુશ્રી દત્તા જાતીય શોષણ બાબતે અભિનેતા નાના પાટેકર સામે નિવેદન નોંધાવવા માટે મુંબઈના ઓશિવરા પોલીસ સ્ટેશન પહોંચી હતી. તે નિવેદન આપવા બુરખો પહેરીને ગઈ હતી. તનુશ્રી દત્તાએ 2008માં થયેલી જાતીય છેડતી સામે થોડા દિવસ પહેલાં જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અભિનેત્રી તનુશ્રી દત્તાએ એક ટીવી ઈન્ટરવ્યુમાં આરોપ લગાવતા જણાવ્યું હતું કે, "10 વર્ષ પહેલાં 'હોર્ન ઓકે પ્લીઝ' ફિલ્મના સેટ પર અભિનેતા નાના પાટેકરે મારી સાથે દુર્વ્યવહાર કર્યો હતો. આ અંગે જ્યારે મેં પ્રોડ્યુસર સામી સિદ્દીકી અને ડિરેક્ટર રાકેશ સારંગને ફરિયાદ કરી કે, આ (નાના પાટેકર) મને પકડીને ખેંચી રહ્યો છે અને ડાન્સ શિખવાડી રહ્યો છે, તો મારી ફરિયાદ સાંભળવાને બદલે તેમણે વધુ એક ડિમાન્ડ મુકી દીધી હતી કે, નાના હવે આ ગીતમાં મારી સાથે એક ઈન્ટીમેટ ડાન્સ સ્ટેપ કરવા માગે છે. તેણે એવો પર આરોપ લગાવ્યો હતો કે, પાટેકરને ફિલ્મનિર્માતા અને કોરિયોગ્રાફરનું મૌન સમર્થન હતું."


#Me Too : જાણીતી કોમેડિયન કનિઝ સુરકાએ અદિતી મિત્તલ પર જાતીય દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો


દસ્તાવેજોમાં જણાવાયું છે કે, 2008માં પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી, પરંતુ તેના પર અત્યાર સુધી કોઈ નક્કર પગલાં લેવાયાં નથી. આથી હવે તનુશ્રીના વકીલે એ બધા જ જૂના અને નવા દસ્તાવેજો મહિલા આયોગને સોંપ્યા છે. 



મહિલા આયોગે ખુલાસો માગ્યો
માહારષ્ટ્ર મહિલા આયોગે આ મુદ્દે નાના પાટેકર અને ગણેશ આચાર્ય સહિત અન્યને નોટિસ મોકલીને 10 દિવસના અંદર આરોપોનો જવાબ આપવા જણાવ્યું છે. સાથે જ તનુશ્રીને પણ પુછપરછ દરમિયાન આયોગ સમક્ષ હાજર રહેવા આદેશ આપ્યો છે. 



#Me Too કેમ્પેઈનની શરૂઆત
તનુશ્રીના આરોપો બાદ સોશિયલ મીડિયામાં ફરીથી #Me Too કેમ્પેઈન શરૂ થયું છે. જેના અંતરગ્ત ઈન્ડસ્ટ્રી, મીડિયા, રાજનીતિ સાથે સંકળાયેલી મહિલાઓ પોતાની સાથે થયેલા જાતીય શોષણના કિસ્સાઓ જાહેર કરી રહી છે. અત્યાર સુધી ફિલ્મ નિર્દેશક રજત કપૂર, વિકાસ બહેલ, અભિનેતા આલોકનાથ, ગાયક કૈલાશ ખેર, લેખક ચેતન ભગત, પત્રકાર-સંપાદક અને વર્તમાન કેન્દ્રીય મંત્રી એમ.જે. અક્બર અને સ્ટેન્ડ અપ કોમેડિયન અદિતી મિત્તલ સામે જાતીય શોષણના આરોપો લાગી ચૂક્યા છે.