અમદાવાદ: મૌલી (અદિતિ શર્મા) અને કુણાલ (શક્તિ અરોડા) પરફેકટ સબંધ અને પરફેકટ જીવનવાળું પરફેકટ યુગલ છે, કહૃાગરી અને પ્રેમાળ નંદિની (દ્રષ્ટિ ધામીએ તેમની દુનિયામાં પગ મૂકયો અને આને સદૈવ માટે બદલી ન દીધું ત્યાં સુધી જેમ કે તેઓ જાણતા હતાં. આજે સબંધો અગાઉ કરતાં વધારે જટિલ બની ચૂકયાં છે અને આજ કાલના સમયમાં સબંધોની આવી જટિલતા પર પ્રકાશ પાડતાં,આજ કાલની પ્રેમ કહાણીઓ છે – સિલસિલા બદલતે રિશ્તોં કા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શો, પોતાની ભૂમિકા અને ઘણી બધી બાબતો અંગે વાતો કરવા ઉત્સાહી દ્રષ્ટિ ધામીએ આજે આકર્ષક અમદાવાદ શહેરની મુલાકાત લીધી. તેણીનું પાત્ર નિંદિની પોતાના પતિ રાજદીપ ઠાકુર (અભિનવ શુદ્વા)ના હાથે લાગણીગત અત્યાચારનો સામનો કરી રહેલ છે અને આ બાબતે જ વાત કરતાં, દ્રષ્ટિએ કહ્યું, "મારું પાત્ર નંદિની મીઠા સ્વભાવની નમણી છોકરી છે જે પોતાના પતિ સાથે ઘેલો પ્રેમ કરે છે. તે તેણીની સાથે ખરાબ વર્તન કરતો હોવા છતાં પણ, તેણી વિવાહ બંધનમાં રહેવાનું ચાલુ રાખે છે અને એની તમામ ભૂલો પર આંખ આડા કાન કર્યા કરે છે. શો વધુમાં સબંધો કેટલા બટકણાં હોય છે તેને ખૂંદે છે, અવરનવાર એકને બદલે બે લોકોની ટકરાતી ઇચ્છાઓનો સમાવેશ કેટલીક વખત વ્યક્તિને પોતાની હદો વટાવવા તરફ દોરી જાય છે."


અમદાવાદની પોતાની મુલાકાત અંગે, દ્રષ્ટિએ એમ કહેતાં ઉમેરો કર્યો, "અમદાવાદમાં પાછા ફરવા બાબતે હું ખૂબ જ ઉત્તેજીત છું. હું જેટલી વખત અહીંની મુલાકાત લઉં છું શહેરને બદલાતું જોઉં છું અને હું આજે અહીં કેટલોક સમય વીતાવવાની છું, શહેરમાં મારી મનપસંદ જગ્યાઓની મુલાકાત લઇશ. મુંબઇમાં મારી ટીમે મને અહીંથી કેટલાક સ્વાદિષ્ટ ફરસાણ પેક કરીને લઇ આવવા પણ કહ્યું છે તો હું એ લોકો માટે ઝડપથી થોડુંક શોપિંગ પણ કરી લઇશ."


તાજેતરના એપિસોડસમાં, દર્શકોએ મૌલીને નંદિનીના ગર્ભવતી હોવા બાબતની જાણ થઇ તે જોયું અને તેણી કુણાલને આ ખુશ ખબરી આપે છે. બીજી બાજુએ, રાજદીપ પોતાની મેલી મુરાદોના લીધે નંદિની સાથે ચાલાકી કરવાનું ચાલુ રાખે છે તેણી ગર્ભવતી હોવા છતાં પણ. કેવી રીતે નંદિની રાજદીપની નવતર ચાલમાંથી બચી નીકળશે અને શું કુણાલ અને મૌલી ફરી એક વખત તેણીને મદદ કરવા શકય બનશે? એ તો સમય જ જણાવશે.