નવી દિલ્હી: TRP લિસ્ટના ટોપ ટીવી શો 'અનુપમા'માં હવે તે મોડ આવી ગયો છે જેની દરેક લોકો રાહ જોઈ રહ્યા હતા. જી હાં! ગત વર્ષથી ચાલી રહેલી અનુજ કપાડિયા અને અનુપમા જોશીની લવ સ્ટોરી હવે લગ્ન સુધી પહોંચવા જઈ રહી છે. અનુપમાએ આખી દુનિયા સામે તેના લગ્નની જાહેરાત કરી સૌ કોઈને ચોંકાવી દીધા છે. હવે ટૂંક સમયમાં અનુજ અને અનુપમા લગ્નના બંધનમાં બંધાશે. પરંતુ શું તમે જાણો છો કે આ લગ્નનું પહેલું કાર્ડ કોને મળવાનું છે? આવો અમે તમને જણાવીએ કે આ શોના આવનારા 3 મહાટ્વિસ્ટ વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વનરાજ શાહને આપશે લગ્નું પહેલું કાર્ડ!
'અનુપમા'ના આજે એટલે કે શુક્રવારના એપિસોડમાં આપણે જોઈશું કે અનુજ અકસ્માતમાં બચી જશે અને અનુપમાએ ડાન્સના સ્ટેજ પરથી અનુજ સાથે લગ્નની જાહેરાત કરી છે. આ જાહેરાત સાંભળી બા, વનરાજ અને કાવ્યા ગુસ્સે થઈને ત્યાંથી જતા રહે છે. ત્યારે બાપુજી, કિંજલ, સમર અને દેવિકા આ વાતની ખુશી મનાવતા જોવા મળશે. ત્યારે હવે ટૂંક સમયમાં લગ્નની તૈયારી શરૂ થવા જઈ રહી છે. અમારી સહયોગી વેબસાઈટ Bollywoodlife ના સમાચાર અનુસાર અનુજ અને અનુપમા એટલે કે #MaAn તેમના લગ્નનું પહેલું કાર્ડ વનરાજ શાહને આપવાના છે.


ગુજરાતમાં ચોથી લહેરની એન્ટ્રી? આ 7 રાજ્યોમાં જોવા મળ્યો નવો વેરિયન્ટ! આ રહ્યા લક્ષણ


શાહ હાઉસમાંથી બહાર થશે અનુપમા
ત્યારે આગામી દિવસોમાં તમને જોવા મળશે કે અનુજ અને અનુપમાના લગ્નનો વિરોધ કરતા બાને આઘાત લાગશે. તેઓ ગુસ્સામાં અનુપમાને શાહ હાઉસમાંથી બહાર કાઢી મુકે છે. એટલું જ નહીં તેઓ અનુપમા સાથે હંમેશા માટે સંબંધ તોડી નાખવાની વાત કરશે. એટલે કે ફરી એકવાર અનુપમા અને અનુજ સાથે રહેવાનું શરૂ કરવા જઈ રહ્યા છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube