મુંબઈ: સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકરના અંતિમ સંસ્કારમાં પહોંચેલા શાહરૂખ ખાનનો એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને લઈને તેના પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. વાત જાણે એમ છે કે શાહરૂખ ખાને લતા મંગેશકરના પાર્થિવ શરીર સામે ફાતેહા પઢ્યું અને માસ્ક હટાવીને દુઆ ફૂંકી. સોશિયલ મીડિયા પર કેટલાક લોકો દુઆ ફૂંકવાને થૂંકવાનું ગણાવી રહ્યા છે. બોલીવુડ સ્ટારનો આ વીડિયો શેર કરતા ભાજપના નેતા અરુણ યાદવે પણ સવાલ કર્યો કે શું ખરેખર શાહરૂખ ખાન થૂંક્યો?
 
દુનિયાભરના દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ
લતા મંગેશકરનું 92 વર્ષની વયે 6 જાન્યુઆરીના રોજ વહેલી સવારે નિધન થયું. રવિવારે રાજકીય સન્માન સાથે મુંબઈના શિવાજી પાર્ક મેદાનમાં તેમના અંતિમ સંસ્કાર કરાયા. આ દરમિયાન નેતા-અભિનેતા સહિત દેશભરના દિગ્ગજો તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. શાહરૂખ ખાને પણ તેમના પાર્થિક શરીર સામે ફાતેહા પઢી દુઆ ફૂંકી હતી. જેને લઈને હવે એક અલગ જ વિવાદ પેદા થઈ ગયો છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtub