અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી હાલમાં જ લંડનના ઈસ્કોન મંદિરમાં જોવા મળ્યા. પાવર કપલનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરવા માટે કીર્તનમાં ભાગ લેતા જોઈ શકાય છે. આ દરમિયાન અનુષ્કા શર્માએ સફેદ સૂટ પહેર્યો હતો. જ્યારે વિરાટે કાળી ટીશર્ટ અને બેઝ પેન્ટ સાથે કેઝ્યુઅલ લૂક પસંદ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વીડિયો વાયરલ થયા બાદ ફેન્સને શક છેકે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી તેમના બંને બાળકો વામિકા અને અકાય સાથે કાયમ માટે લંડન શિફ્ટ થઈ ગયા છે. ફેન્સ એવો અંદાજો લગાવી રહ્યા છે કે પોતાના બાળકોને નોર્મલ લાઈફ મળે તે માટે અનુષ્કા અને વિરાટે આ નિર્ણય લીધો છે. આ અટકળો એટલા માટે પણ થઈ રહી છે કારણકે અનુષ્કા અને વિરાટ અવારનવાર લંડનમાં જોવા મળે છે. હાલમાં જ ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ પણ વિરાટ કોહલી જેવી ઉજવણી પતી કે સીધો લંડન રવાના થઈ ગયો. 



2023માં પણ લંડનની અનેક તસવીરો થઈ હતી વાયરલ
2023માં વિરાટ કોહલીએ પોતાના બિઝી શિડ્યુલમાંથી બ્રેક લઈને લંડનમાં અનુષ્કા સાથે કેટલોક સમય વિતાવ્યો હતો. તે સમયે પણ કપલની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જેમાં અનુષ્કા અને વિરાટ લંડનની એક રેસ્ટોરન્ટની બહાર જોવા મળ્યા હતા. અકાયના જન્મની જાહેરાતના કેટલાક દિવસો બાદ વિરાટ પણ પુત્રી વામિકા સાથે લંડનની એક રેસ્ટોરન્ટમાં જોવા મળ્યો હતો. 


કોઈ નથી પ્રતિક્રિયા
અત્રે જણાવવાનું કે રિપોર્ટ્સમુજબ અનુષ્કા શર્માએ પોતાની ગર્ભાવસ્થાના અનેક મહિના લાઈમલાઈટથી દૂર લંડનમાં વિતાવ્યા. એવી અટકળો થઈ રહી હતી કે અકાયનો જન્મ પણ લંડનમાં થયો હતો.આવામાં ફેન્સ એવું અનુમાન કરી રહ્યા છે કે અનુષ્કા અને વિરાટ લંડનમાં પોતાનું નવું આશિયાના બનાવી રહ્યા છે. વિરાટના તમામ ફોર્મેટમાંથી સન્યાસ બાદ તેઓ કાયમી માટે ત્યાં જઈ શકે છે. પૂર્વ ભારતીય કેપ્ટને હાલમાં જ ઈન્ટરનેશનલ ટી20માંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. જો કે અનુષ્કા અને વિરાટે હજુ આ બધી અફવાઓ પર કોઈ જ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપ્યું નથી.