અલ્કેશ રાવ/બનાસકાંઠા :દાંતીવાડાના 12 ગામોમાં ક્ષત્રિય ઠાકોર સમાજે 9 મુદ્દાનું કડક બંધારણ બનાવ્યું છે. જેમાં 12 ગામોના ક્ષત્રિય ઠાકોર સમાજે કેટલાક ચુસ્ત નિયમો બનાવ્યા છે. આ નિયમોનું પાલન 12 ગામોના ક્ષત્રિય ઠાકોર સમાજના લોકોને કરવું પડશે. આ ગામોમાં દાંતીવાડાના જેગોલ, કોટડા, ગાંગુદ્રા, ઓઢવા, હરિયાવાડા, માલપુરીયા, શેરગઢ, તાલેપુરા, રાણોલ, રતનપુર, ધાનેરી અને વેળાવસ ગામના ક્ષત્રિય ઠાકોર સમાજના લોકો સામેલ છે, જેઓને આ નિયમોનું પાલન કરવાનું રહેશે. 


ફોઈના ઘરે રજામાં આવેલી મનાલીને અમદાવાદની રાઈડમાં મોત મળ્યું, અંતિમવિધિમાં આખુ ગામ હિબકે ચઢ્યું


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે ચંદ્રગ્રહણ પણ ગુજરાતનું એકમાત્ર આ મંદિર ખુલ્લુ રહેશે, રાત્રિ દર્શન માટે દ્વાર ખુલ્લા મૂકાશે


આ 9 નિયમોનું 12 ગામના ક્ષત્રિય ઠાકોર સમાજના લોકોને પાલન કરવું પડશે. દાંતીવાડાના ક્ષત્રિય ઠાકોર સમાજમાં આવતા 12 ગામોના આગેવાનોની મીટિંગ યોજાઈ હતી. જેમાં આ તમામ નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેગોલ ગામમાં થયેલ મિટિંગ બાદ આ બાબતે ઠાકોર સમાજના કોઈ વ્યક્તિ કશું જ બોલવા તૈયાર નથી.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :