અર્પણ કાયદાવાલા, અમદાવાદ: AMCએ શહેરમાં 17 નવા માઇક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર જાહેર કર્યા છે. અગાઉનો 1 વિસ્તાર રદ્દ કરવામાં આવ્યો છે. હવે શહેરમાં કુલ 172 વિસ્તાર માઇક્રો કન્ટેઈન્મેન્ટ તરીકે અમલમાં મુકાયા છે. એક તરફ કેસ ઘટવાનો દાવો, બીજી તરફ સતત માઇક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર વધી રહ્યાં છે. ત્યારે કોરોના મામલે AMC તંત્ર સામે અનેક પ્રશ્ન ઉભા થઈ રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- બેસણાંમાં બબાલ: સુરતમાં કોરોના સંકટ વચ્ચે યોજાયું બેસણું, મારામારીના દ્રશ્યો સાથે Video Viral


[[{"fid":"271764","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવાઈ રહેલા શ્રેણીબદ્ધ પગલાઓની સમીક્ષા માટેની આજે બેઠક યોજાઇ હતી. આ બેઠક અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર, આઇ.એ.એસ તથા વિવિધ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, હેલ્થના ડે.મ્યુનિસિપલ કમિશનર, આરોગ્ય અધિકારી વગેરે હાજર રહ્યાં હતા.


આ પણ વાંચો:- Coronaupdate: રાજ્યમાં કોરોના કેસ 850ને પાર, 14ના મોત; 441 દર્દીઓ થયા સાજા


[[{"fid":"271765","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


હાલમાં અમદાવાદ શહેરમાં કુલ 156 માઇક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર છે. જેમાંથી આજે ચર્ચા બાદ 1 માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારને દુર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વિસ્તૃત ચર્ચા બાદ 17 વિસ્તારમાં નવા કેસ રિપોર્ટ હોવાથી નવા માઇક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિભાગ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રીનીંગની કામગીરી હાથ ધરવામાં આવશે. જો કે, સર્વેની આ કામગીરી દરમિયાન કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાની કામગીરી પણ કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube