જાવેદ સૈયદ/અમદાવાદ :ગઈકાલે રાત્રે ત્રણ ચાર કલાકમાં જ શહેરમાં 2 હિટ એન્ડ રન (Hit and Run) ના બે કેસો બન્યા છે. જેમાં મેમનગરમાં એક ઇનોવા કારે એક બાઇક ચાલકને ટક્કર મારતા બાઇક ચાલકનું મોત થયું હતું. તેના ગણતરીના કલાકો બાદ મોડી રાત્રે 11 વાગે ઇસનપુર વિસ્તારમાં એક કાર ચાલકે ગોવિંદ વાડી પાસે એક સોસાયટીની બહાર રોડ પર સુઈ રહેલા ત્રણ મજુરો પર કાર ચઢાવી હતી. આ અકસ્માતમાં ત્રણ મજૂરોને ઈજાઓ પહોંચતા તમામને 108 મારફતે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે કાર ચાલક ફરાર થઇ ગયો હતો. હાલ પોલીસે કાર ચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે હવે અમદાવાદમા બીઆરટીએસના ડ્રાઈવરો (BRTS Accident) બાદ કારચાલકો પણ બેખોફ બન્યા છે તેવું લાગી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કારચાલકે મજૂરોને કચડ્યા...
અમદાવાદમાં ગઈકાલે રાત્રે ઈસનપુર વિસ્તારમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. ઈસનપુર વિસ્તારમાં રસ્તાની બાજુમાં સૂઈ રહેલા મજુરો પર એક કાર ચાલકે કાર ચઢાવી દીધી હતી અને 3 મજુરો પર કાર ચાલક કાર ફેરવીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટનામાં ત્રણ મજુરો ઇજાગ્રસ્ત થયા છે, જેઓને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે.  


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube