રાજકોટ: ધોરાજીમાં લલિત વસોયાની જળસમાધિના મામલામાં રાજકોટ જિલ્લા પોલીસવડાએ 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. લલિત વસોયા અને હાર્દિક પટેલની ધરપકડના સમયે મીડિયા કર્મીઓએ પોલીસવાનમાં ઈન્ટરવ્યૂ કરતા તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. પોલીસકર્મીઓએ પોલીસવાનમાં જ ઈન્ટરવ્યૂ લેવા દેતા ફરજ પર બેદરકારી બદલ ચારેય પોલીસકરમીને સસ્પેન્ડ કરાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે ગત શનિવારે સંબોધન બાદ લલિત વસોયા જળ સમાધી લે તે પહેલા પોલીસે હાર્દિક અને લલિત વસોયાની અટકાયત કરી હતી. ત્યારબાદ બંન્નેને ત્રણ-ચાર કલાક બાદ છોડી મુકાયા હતા. જેમાં બંનેએ પોલીસવાનમાં જ મીડિયાને ઈન્ટરવ્યૂ આપીને સરકાર પર આક્ષેપો કર્યા હતા.


લોકલડતમાં ટેકો આપવા માટે કોંગ્રેસના ધારાસભ્યો લલિત કગથરા, પરસોતમભાઇ સાબરીયા, હર્ષદ રીબડીયા, બ્રિજેશ મેરજા, ચિરાગભાઈ કાલરીયા, પ્રવીણભાઈ મૂછડિયા, જે.વી.કાકડિયા, પ્રતાપ દુધાત, ભીખાભાઈ જોષી, બાબુભાઈ સહિતના ધારાસભ્યો અને અગ્રણીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


હાર્દિક પટેલનો દાવો
હાર્દિક પટેલે આક્ષેપ કર્યો કે, જળસમાધિ કાર્યક્રમ ન કરવા માટે લલિતભાઇને 1 કરોડ અને મને 50 લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. આ ઓફર ભાજપના મળતીયા અને મિલ માલિકો દ્વારા કરવામાં આવી હતી. આ સાથે હાર્દિકે તેમ પણ કહ્યું હતું કે, મારી અટકાયત એટલા માટે કરી કે હું 25 ઓગસ્ટનો કાર્યક્રમ ન કરી શકું. આ સાથે હાર્દિકે કહ્યું કે, હું લલિતભાઇની સાથે જ ઉભો છું.


સ્ટેજ પર ભાદરના પાણીની બોટલો રાખવામાં આવી હતી
કેમિકલ યુક્ત પાણી હોવાથી અનેક લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યાં છે. કાર્યક્રમમાં સ્ટેજ પર ભાડર-2 ડેમના કેમિકલ યુક્ત પાણીની બોટલો ભરીને સ્ટેજ પર રાખવામાં આવી હતી. તેમાં પાણીનો કલર અલગ દેખાઈ રહ્યો હતો. આ પાણીથી ચામડીના રોગ થવાની શક્યતા રહે છે.