અમદાવાદઃ કાલુપુરમાં સાડા પાંચ કિલો સોનાના લૂંટની ઘટના બની છે. માણેકચોકમાં આવેલ કિરણ જ્વેલર્સ નામની દુકાનના બે માણસ ઓર્ડર લેવા માટે નોબલનગર અને નરોડા જવા નીકળ્યા હતા. માલ લઈને પરત આવી રહ્યા હતા ત્યારે કાલુપુરના અમદુપુરા બ્રીજ પાસે 2 બાઈક સવાર આવ્યા અને બેગ છીનવીને ભાગી છૂટ્યા હતા. બનાવને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે. આ સોનાની કિંમત આશરે દોઢ કરોડ થાય છે.