જયેશ ભોજાણી/રાજકોટ :રાજકોટના જસદણમાં આજે વિચિત્ર ઘટના બની હતી. પતિએ ઠપકો આપતા પત્નીએ અગ્નિ સ્નાન કર્યું હતું. ગત રાત્રે બનેલા આ બનાવમાં મહિલાને બચવા જતા પતિ, સસુર, પુત્રી સહિત અન્ય 6 લોકો પણ દાઝ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીનગર સીરિયલ કિલર કેસમાં પિક્ચરમાં આવી મુંબઈ પોલીસ


બન્યું એમ હતું કે, જસદણમાં રહેતી દયા વિપુલ ભેંસજાળીયા છેલ્લા દોઢેક મહિનાથી કેટરર્સનું કામ કરતી હતી. જ્યાં કોઈ રાજસ્થાની શખ્સના પરિચયમાં આવી હતી. બંને વચ્ચે પરિચય છતા તેઓ એકબીજા સાથે ફોનમાં વાત કરતા હતા. તેથી તેના પતિ વિપુલ ભેંસજાળીયાને આ બાબતની જાણ થઈ હતી અને તેણે પત્નીનો ફોન તોડી નાખ્યો હતો. ત્યારે દયા પાસે ફરીથી મોબાઈલ આવી જતા તે ફરીથી એ શખ્સ સાથે વાત કરતી. જેથી આ બાબતે પતિ-પત્ની વચ્ચે ગઈકાલે ઝઘડો થયો હતો. ઝઘડા બાદ દયા ભેંસજાળીયાએ રૂમમાં જઈને અગ્નિ સ્નાન કર્યું હતું. 


Pic : ટેન્કર રાજના ભાર તળે દબાયું ઉનાનું આ ગામ, પાણી માટે કરવુ પડે છે ‘બેડાયુદ્ધ’ 


પરંતુ બન્યું એમ કે, સળગી ગયેલી દયા રૂમમાં જ સૂઈ રહેલા 6 વર્ષની પુત્રી કાવ્યા અને 3 વર્ષની ભાણેજ જ્હાન્વી ધાધલ પર પડી હતી. જેથી બંને બાળકીઓ પણ દાઝી ગઈ હતી. ઘરમાં આગનો ભડકો થતા તરત પતિ અને ઘરના અન્ય સદસ્યો દોડીને આવી ગયા હતા. આગ બૂઝવી રહેલા પતિ, સસરા અને નણંદ પણ દાઝી ગયા હતા. આ તમામને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં દયાબેનનું મોત નિપજ્યું હતું. 3 જણા સામાન્ય રીતે દાઝ્યા હતા, તો અન્ય 3ને ગંભીર હાલતમાં રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયા હતા. સમગ્ર કેસમાં પોલીસે તપાસ શરૂ કરી છે. 


અમદાવાદના વધુ એક સ્ટેશન પરથી આવતીકાલથી મેટ્રો ટ્રેન દોડશે, જાણો ક્યાંથી 


આ મામલે પતિ વિપુલે આગળ કહ્યું હતું કે, 'મારી બહેન આરતી જસદણમાં જ સાસરે હોઇ તે તેની દિકરી જ્હાન્વીને લઇ સાંજે ઘરે બેસવા આવી હતી. હું, મારા બાપુજી, બહેન સહિતના ફળીયામાં બેઠા હતાં ત્યારે દયા રૂમમાં હતી, ત્યારે તેણે અગ્નિસ્નાન કરી લીધું હતું. મેં તેને મોબાઇલમાં વાત કરવા બાબતે ઠપકો આપ્યો હોવાથી તેણે આ પગલું ભર્યુ હતું.' 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV