સુરત: સુરત જિલ્લાના મહુવા તાલુકામાં આવેલા આંગલધરાના વજનકાંટાનાં સંચાલક સંજયસિંહ દેસાઇ પર અજાણ્યા શખ્સ દ્વારા 6 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન સંજયસિંહ દેસાઇને 5 ગોલી વાગતા ઘટના સ્થળે તેનું મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસની સાથે એફએસએલની ટીમ પણ સ્થળ પહોંચી ગઇ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"219351","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


પ્રાપ્ત માહિતી અનુસાર, મહુવા તાલુકામાં આવેલા આંગલધરામાં સંજયસિંહ દિલિપસિંહ દેસાઈ પરિવાર સાથે રહેતા હતા. તેઓ વજનકાંટાનાં માલિક ઉપરાંત ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. મોડી રાત્રે 2થી 4 વાગ્યાની વચ્ચે સંજયસિંહ આંગલધરા ખાતે આવેલી તેમની વજનકાંટાની ઓફિસમાં હાજર હતા. તે દરમિયાન તેમની ઓફિસમાં અજાણ્યો શખ્સ ઘૂસી આવ્યો હતો.


વધુમાં વાંચો:- સુરત: ST કન્ડક્ટરે મુસાફરને બેફામ ગાળો ભાંડી, મારામારીનો વીડિયો વાયરલ 


ઓફિસમાં ઘૂસી આવેલા અજાણ્યા શખ્સે ઉપરાછાપરી 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં સંજયસિંહને 5 ગોળીઓ વાગતા તેનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ ફાયરિંગ કરનાર શખ્સ ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આ મામલામાં પોલીસ અને એફએસએલની ટીમ તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરશે. પ્રાથમિક તપાસમાં અંગત અદાવતમાં ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.


જુઓ Live TV:-


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...