હરમેશ સુખડિયા/ અમદાવાદ: વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સામે મહિલા પર બળાત્કાર કરવાની ફરિયાદ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં નોધાઇ છે. આ પોલીસ કર્મીએ પીયરમાં રહેતી મહિલાને તેના પતિ સાથે ઝઘડો થતા સમાધાન કરવાના બહાને મહિલાને હોટલમાં લઇ જઇને તેના પર દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ મહિલાએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં નોધાવી છે. આ કોન્સ્ટેબલ મહિવાના સમાધાન કરવાનું કહીને હોટલમાં લઇ જઇને અનેક વાર દુષ્કર્મ કર્યુ હોવાનો મહિલાએ દાવો કર્યો છે. ત્યારે આ અંગે ઘાટલોડિયા પોલીસ દ્વારા દુષ્કર્મનો ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી છે.