અમદાવાદ : રાજ્યના સરકારી તબીબોની હડતાળનો સુખદ અંત આવ્યો હતો. ગુજરાત ગવર્નમેન્ટ ડૉકટર્સની માંગણીઓ સંદર્ભે કરાયેલી જોગવાઇઓનું ઝડપી અમલીકરણ કરવા અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે બાંહેધરી આપી હતી. એડહૉક સેવા વિનિયમિત કરી સળંગ ગણવાના પ્રથમ તબક્કામાં 92 અને 22 તબીબી શિક્ષકોના હુકમ 30 મી એપ્રિલ સુધીમાં કરવામાં આવશે. જી.એમ.ઇ.આર.એસ.તબીબોને ન્યુ પેન્શન સ્કીમ ઉપરાંત C.A.S. તથા ટીકુ કમીશનનો લાભ 30 જૂન સુધીમાં આપવામાં આવશે. આરોગ્ય વિભાગ દ્વારા એડહોક ટ્યુટરો અને ડેન્ટલ ટ્યુર્સને 7 માં પગારપંચનો લાભ આપવા અલાયદી દરખાસ્ત કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારે કરોડોનો ખર્ચો કર્યો તેમ છતા પણ અરવલ્લીમાં અત્યારથી પાણીનો કકળાટ શરૂ
 
રાજ્યના સરકારી તબીબો દ્વારા આરોગ્ય વિષયક માંગણીઓને મુંઝવતા પ્રશ્નો સંદર્ભે કરવામાં આવેલી હડતાળનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના સીધા માર્ગદર્શન હેઠળ રાજ્યના સરકારી તબીબો અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથે પરામર્શ કરીને સુખદ અંત લાવવામાં આવ્યો છે. રાજ્યની આરોગ્ય સેવાઓને અવિરત કાર્યરત રાખી ગુજરાત ગવર્નમેન્ટ ડૉકટર્સની માંગણીઓ સંદર્ભે કરાયેલી જોગવાઇઓનું ઝડપી અમલીકરણ કરવામાં આવશે તેમ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે. 


અહો આશ્ચર્ય! ગુજરાતમાં અહીં કોંગ્રેસની બિનહરીફ રીતે થઇ જીત જશ્નનો માહોલ


આરોગ્યમંત્રીએ જણાવ્યું કે, ગઇ કાલે સરકારી ડૉકટર્સના પ્રશ્નો સંદર્ભે માંગણીઓ સ્વીકારીને રાજ્ય સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 4 થી 5 બાબતો અંગે તબીબોને મુંઝવણ હતી. જેને વિગતવાર ચર્ચા કરી તબીબો સાથે પરામર્શ કરીને દૂર કરવમાં આવી છે. મંત્રી ઋષિકેશ પટેલે આ સંદર્ભે જણાવ્યું કે, તબીબોની એડહૉક સેવા વિનિયમિત કરી સળંગ ગણવાના પ્રથમ તબક્કામાં 92 અને 22 તબીબી શિક્ષકોના હુકમ 30 મી એપ્રિલ સુધીમાં કરવામાં આવશે. 


ડોક્ટર્સની હડતાળ સમેટાઇ: રાજ્યના સ્વાસ્થય સેવા સાંજથી જ ફરી એકવાર પૂર્વવત્ત થશે


જી.એમ.ઇ.આર.એસ.ના તબીબોને ન્યુ પેન્શન સ્કીમના લાભ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. તે ઉપરાંત તબીબોને C.A.S. (કેરી પર એડવાન્સમેન્ટ સ્કીમ) તથા ટીકુ કમીશનનો લાભ 30 જૂન સુધીમાં આપવામાં આવશે. આરોગ્ય વિભાગ દ્વારા એડહોક ટ્યુટરો અને ડેન્ટલ ટ્યુર્સ ને 7 માં પગારપંચ નો લાભ આપવામાં હકારાત્મક અભિગમ દાખવીને અલાયદી દરખાસ્ત કરવામાં આવી છે. રાજ્યના દંતશિક્ષકો અને આયુષના શિક્ષકો, વૈધો માટે N.P.A. માટે અલગથી વિચારણા કરવામાં આવશે.


ઓસ્ટ્રેલિયાથી પરત લવાયેલી કનકાઈ માતાની મૂર્તિ ફરી ગીરના જંગલમાં સ્થાપિત કરવાની લોકોની માંગ


મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું કે, તબીબોની માંગણીઓનો સૈધ્ધાંતિક રીતે સ્વીકાર કરીને નિયતસમયમર્યાદામાં નિરાકરણ લાવવા સરકારે સધન પ્રયાસો હાથ ધર્યા છે. હડતાળ સમેટાયા બાદ ગુજરાત મેડિકલ ટીસર્ચ એસોશિએશનના પ્રમુખ ડૉ. રજનીશ પટેલે મીડિયા સમક્ષ પ્રતિભાવ આપતા જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળની સરકારે રાજ્યના તબીબો પ્રત્યે સંવેદનશીલ અભિગમ દાખવીને તમામ માંગણીઓનો સ્વીકાર કર્યો છે. જે બદલ રાજ્યના તમામ તબીબો વતી સરકારનો પટેલે આભાર માન્યો હતો. આરોગ્યમંત્રી ના હ્યદયસ્પર્શી અભિગમ અને કોઠાસૂઝના પરિણામે રાજ્યના તબીબોની માંગણીઓને ન્યાય મળ્યો છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતુ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube