અમદાવાદ : વેરાવળના કાજલી માર્કેટીંગ યાર્ડ ખાતે CAA નાગરિકતા સંશોધન અધિનિયમના સમર્થનમાં જનજાગૃતિ અભિયાન અંતર્ગત  ગિરસોમનાથ જિલ્લાનું સંમેલન યોજાયું. જેમા મુખ્ય વક્તા તરીકે કીસાન મોરચાના પ્રદેશ પ્રમુખ બાબુભાઇ જેબલીયા ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. CAA  નાગરિકતા સંશોધન અધિનિયમના સમર્થનમાં જનજાગૃતિ અભિયાન અંતર્ગત  ગિર સોમનાથ જિલ્લાનું પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું. કેન્દ્રની મોદી સરકારે આ મહત્વના નિર્ણયને સંમેલનમાં ઉપસ્થિત સૌ લોકોને યોગ્ય માર્ગદર્શન આપી રજુ કરેલ મુખ્ય વક્તા બાબુભાઇ જેબલિયા દ્વારા જણાવવામાં આવ્યું કે, CAA  નાગરિકતા સંશોધન અધિનિયમના સમર્થનમાં સૌ ભારતીયો એક પત્ર લખી સમર્થનમાં સહભાગિ બંને તેવી અપીલ કરી છે. આ સંમેલનમાં સાંસદ અને પ્રદેશ ભાજપ મંત્રી રાજેશભાઇ ચુડાસમા સહીત પાર્ટીના તમામ પદાધિકારીઓ, પ્રબુદ્ધ  નાગરિકો, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, હાજર રહ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube