દાહોદ: દાહોદ જિલ્લામાં સામાન્ય રીતે દિપડાઓ અવાર નવાર દેખાતા હોય છે. દાહોદના જંગલ વિસ્તારમાં એક માનવભક્ષી દિપડાનો આતંક વધી રહ્યો છે. આ દિપડાએ અત્યાર સધીમાં ત્રણ લોકોનો જીવ લીધો છે. આ દિપડો ધાનપુરના લોકો અને વન વિભાગના કર્મચારીઓ માટે મથાનો દુખાવો બન્યો છે. વન વિભાગ દ્વારા દિપડાને પકડવા માટે અવનવી ટેકનિકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દાહોદના ધાનપુરમાં માનવભક્ષી દિપડાનો આતંક વધ્યો છે.  ત્યારે દાહોદ વનવિભાગની ટીમે દીપડાને ઝડપી પાડવા માટે નવીન રીત અપનાવવામાં આવી છે. પાંજરામાં મારણ રાખવાની જગ્યાએ પાંજરામાં વનવિભાગમા કર્મચારીઓને એરગન સાથે મુકવામાં આવ્યા છે. દીપડો નજીક આવેતો એરગનથી શૂટ કરવા આદેશ આપ્યો છે.


વધુ વાંચો...ભારતીય મહિલાએ જર્મનીથી ગુજરાત આવીને બુલેટ ટ્રેન માટે આપી પોતાની જમીન


[[{"fid":"192341","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"DaHod-Dipdo","field_file_image_title_text[und][0][value]":"DaHod-Dipdo"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"DaHod-Dipdo","field_file_image_title_text[und][0][value]":"DaHod-Dipdo"}},"link_text":false,"attributes":{"alt":"DaHod-Dipdo","title":"DaHod-Dipdo","class":"media-element file-default","data-delta":"1"}}]]


દીપડો અત્યાર સુધીમાં 3ને મોતને ઘાટ ઉતારી ચૂક્યો છે. ત્યારે સવાલ એ થાય છે કે,  દીપડો પકડવાની આ તે કેવી પદ્ધતિ છે. દીપડાએ વનકર્મી પર હુમલો કરી દીધો હોત તો, શું પાંજરામાં વનકર્મી બેસાડવા યોગ્ય છે? દીપડાને એરગનથી શૂટ કરવામાં નિશાન ચૂકાયુ તો,.. શું હિંસક પ્રાણીને પકડવા આવા તુક્કા યોગ્ય છે? શું વનવિભાગ પાસે બીજી કોઈ યોગ્ય પદ્ધતિ નથી?