ઝી બ્યુરો/અમદાવાદ: રાજ્યમાં કોરોના કેસમાં ધીમેધીમે ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે 27મી એપ્રિલે કુલ 186 કેસ નોંધાયા છે. જ્યારે 186 દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં 12,77, 483 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાનો દર 99.03 ટકાએ પહોંચ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમા આગામી 3 કલાક ખુબ જ ભારે! સાંજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી


રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગત જાણીએ તો કુલ 1502 એક્ટિવ કેસ છે, જેમાંથી 7 વેન્ટીલેટર પર અને 1495 દર્દીઓની હાલત સ્ટેબલ છે. ગુજરાતમાં અત્યાર સુધી 12,77,483 દર્દીઓ કોરોનાને હરાવીને ડીસ્ચાર્જ થઈ ચૂક્યા છે, જ્યારે 11074 લોકોનું મોત થયું છે.


આવનારું વર્ષ કેવું રહેશે? વર્ષો જૂની પ્રણાલી મુજબ ટિટોડીના ઈંડા પરથી કરાઈ આગાહી


રાજ્યમાં આજે નોંધાયેલા કોવિડ 19ના કેસ વિશે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 74 કેસ નોંધાયા છે, જ્યારે વડોદરા કોર્પોરેશનમાં 27, સુરત કોર્પોરેશન 17, સુરત 10, વલસાડ 6, આણંદ 5, ભરૂચ 5, મહેસાણા 5, સાબરકાંઠા 5, ગાધીનગર 4, મોરબી 4, વડોદરા 4, બનાસકાંઠા 3, નવસારી 3, પાટણ 3, અમરેલી 2, અમદાવાદ 1, અરવલ્લી 1,  દાહોદ 1, ગાંધીનગર કોર્પોરેશન 1, ગીર સોમનાથ 1, પંચમહાલ 1, પોરબંદર 1, રાજકોટ 1, રાજકોટ કોર્પોરેશનમાં 1 કેસ નોંધાયો છે.