રઘુવીર મકવાણા/બોટાદ: સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર પર વિશેષ પ્રકારનું એટીએમ મશીન મુકવામાં આવ્યું છે. જેમાં 10 રૂપિયાનો સિક્કો નાખવાથી કાપડની થેલી નીકળે છે. સાળંગપુર આવતા શ્રદ્ધાળુઓ પ્રસાદ લઈને આ કાપડની થેળીનો ઉપયોગ કરી રહ્યા છે. જન જાગૃતિ લાવવા માટે રાજ્યના પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ મશીન મુકવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિસ્તારો પર તોળાઈ રહ્યું છે પુરના પ્રકોપનું સૌથી મોટુ સંકટ; હવે ત્રણ સિસ્ટમ સક્રિય


ગુજરાતને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની દિશામાં અને લોકોમાં પ્લાસ્ટિકના ઉપયોગ અંગે જનજાગૃતિ લાવવા માટે રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલના ભાગરૂપે, રાજ્યના મહત્વના મંદિરો પર વિશેષ એટીએમ મશીન મુકવામાં આવ્યા છે. જેમાંથી કાપડની થેલી મેળવી શકાય છે. તે સિવાય રાજ્યના સાત મુખ્ય મંદિરો પર આ રીતના એટીએમ મશીન મુકવામાં આવ્યા છે. 


ખાખી વર્દીમા રાંદેર પોલીસનું માનવતાવાદી રૂપ! કર્યું એવું કામ કે લોકો બોલ્યા સલામ બોસ


સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે લાખોની સંખ્યામાં ભક્તો દાદાના દર્શને આવતા હોય છે ત્યારે તમામ લોકોમાં અવેરનેસ આવે અને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે તે માટે અહીંયા આ મશીન મુકવામાં આવ્યું છે. 


જન્માષ્ટમીમાં બસમાં મુસાફરી કરનારોને નહીં પડે હાલાકી, ST વિભાગનો મોટો નિર્ણય!