સાબરકાંઠાઃ હિંમતનગરના પીપલોદી પાસે અજાણ્યા વાહને એક એક્ટિવાને અડફેટે લીધું હતું. આ ઘટનામાં એક્ટિવા પર સવાર પતિ-પત્નીનું મોત નિપજ્યું હતું. આ દંપતિ કારરોલના સ્વામિનારાયણ મંદિરેથી દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યાં હતા. આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર હિંમતનરના સોનાસણમાં રહેતું દંપતિ મંદિરે દર્શન કર્યા બાદ ઘરે પરત ફરી રહ્યું હતું. આ દરમિયાન તેમની એક્ટિવાને અજાણ્યા વાહને અડફેટે લેતા બંન્નેના મોત થયા હતા. મૃતક મહિલા હિંમતનગરના બી ડિવિઝનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. ઘટનાની જાણ થતાં એ અને બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે 108ની મદદથી બંન્નેના મૃતદેહ હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube