હેમલ ભટ્ટ/ગીર સોમનાથ: ગુરૂવાર મોડી રાત્રે વેરાવળ કોડીનાર રોડ પર આવેલા સોનારિયા ગામ નજીક ટ્રક અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્મત સર્જાયો હતો. જેમાં એક 3 લોકો ઘાયલ થયા હતા અને 1નું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું. ટ્રક ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. એમ્બ્યુલન્સના ડ્રાયવર સહિત 3 લોકોને ઇજા થતા તેમને વેરાવળની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્માતમાં એમ્બ્યુલન્સમાં સવાર વૃદ્ધાને રાજકોટમાં હૃદયરોગ બિમારીની સારવાર લઇ સ્વસ્થ થઇને પરત ફરી રહ્યા હતા. જેમનું અકસ્માતમાં જ નું એમ્બ્યુલન્સમાં જ મોત થયું છે. જ્યારે વૃદ્ધના પુત્રને માથાના ભાગે ઇજા થતા તેની હાલત ગંભીર છે.