ભાવનગરઃ ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ આકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે મોત નીપજયા હતા. જયારે અન્ય બે વ્યક્તિઓને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહીં મહત્વની વાત એ છે, કે આવતીકાલે આ જ હાઇવેના ફોરલેનનું ઉપરાષ્ટ્રપતિના હસ્તે ખાતમહુર્ત થવાનું છે. તે પહેલાંજ આ હાઇવે પર અકસ્માત સર્જાયો છે. ત્યારે આ સમગ્ર બનાવની ત્યાંથી પસાર થતા ભાજપ પ્રદેશ પ્રમુખે જીતુ વાઘાણીએ નોંધ લીધી હતી.