ઝી બ્યુરો/સુરત: રાજ્યમાં અકસ્માતના વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કામરેજ નજીક એસટી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અમદાવાદ- મુંબઈ હાઈવે પર કામરેજ પાસે મુસાફર ભરેલી એસટી બસ અને ટ્રક વચ્ચે ધડાકાભેર અથડામણ થઈ છે. જેમાં 10 જેટલા મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. બસમાં 25 મુસાફરો સવાર હતા. હાલ અકસ્માત સ્થળે 108ની ટીમો પહોંચી છે. આ ઘટનામાં બસ અને ટેન્કર ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કરોડો ગુજરાતીઓના શ્વાસ થંભાવી દેશે આ વાત! વરસાદને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી


બસમાં 25 મુસાફરો સવાર હતા
વિગતો મુજબ કામરેજ ને.હા. 48 પર અમદાવાદ- મુંબઈ જતા મુસાફર ભરેલી એસટી બસ અને ટ્રક વચ્ચે ધડાકાભેર અથડામણ થઈ છે. બસમાં 25 જેટલા મુસાફરો સવાર હતા. જેમાં 10 જેટલા મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે. જે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બસ વડોદરાથી સુરત તરફ જઈ રહી હતી તે સમય દરમિયાન દૂર્ઘટના સર્જાઈ છે. કાર ચાલકને બચાવવા જતા બસ ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. 


તહેવારોની સિઝન પર સરકારની મોટી ભેટ, 75 લાખ LPG કનેક્શન આપશે મફત


બસ ધડાકાભેર અથડાઇ
બસ સામેના ટ્રેક પર ચઢી જતા કેમિકલ ભરેલા ટેન્કર સાથે અથડાઈ હતી. જેને લઈ 10 જેટલા મુસાફરોને તેમજ બસ અને ટેન્કર ડ્રાઈવરને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જો કે, સમગ્ર બાબતને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિકજામના પણ દર્શ્યો સર્જાયા હતાં.


ગાય-ભેંસના ગોબરમાંથી પણ કમાય એનું નામ ગુજરાતી: જાપાનને પણ રસ પડ્યો, 230 કરોડ રોકશે