હનીફ ખોખર/જુનાગઢ: માંગરોળના લોએજ ગામે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. રાજકોટના પરિવારના ત્રણ સભ્યોના મોત થતા પરિવારમાં માતમ છવાયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. અને 9 કરતા પણ વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માંગરોળ રોડ પર સ્વિફ્ટ કાર અને સ્કોર્પિયો વચ્ચે ટક્કર થઇ હતી. જેમાં ત્રણ લોકોના ઘટાના સ્થળ પર જ મોત થયા હતા જ્યારે 9થી 10 જેટલા લોકોને ઇજાઓ થતા માંગરોળ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં મોતને ભેટેલા લોકોને પીએમ માટે માંગરોળ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 


અમદાવાદ : બોક્સમાંથી મોબાઈલ કાઢીને પત્થર મૂકતો ચોર ઝડપાયો


અકસ્માત થતા માંગરોળ રોડ પર એક સાથે બે કાર ઘડાકાભેર અથડાતા ત્રણ લોકોના મોત થયા હતા. જેથી અસ્માતને પગલે રોડ પર ટ્રાફિકની લાંબી લાઇનો લાગી હતી. સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક સોલ કરીને અકસ્માતનો ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી છે.