બોટાદ: બોટાદ જિલ્લામાં (Botad district) ખૂબ જ ચોંકાવનારો અને દુઃખદ બના બન્યો હતો. અહીં એક અકસ્માતમાં પિતા અને પુત્રનાં મોત (Botad accident) ઘટના સ્થળે જ મોત થયા છે. જેમાં પુત્રની ઉંમર ફક્ત બે વર્ષની છે. પુત્રનો જન્મ દિવસ (Birthday) હોવાથી પિતા તેને લઈને સાળંગપુર (Salangpur Hanuman temple) ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યાંથી પરત ફરતી વખત બાઈકને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં બંનેનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. મળતી માહિતી પ્રમાણે બોટાદ શહેરમાં તુરખા રોડ ઉપર રહેતા મહેન્દ્રભાઈ (Mahendrabhai Khandala) તેમના બે વર્ષના પુત્રનો જન્મ દિવસ હોવાથી સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મંદિરે (Temple) દર્શન કરવા માટે ગયા હતા. દર્શન કરીને પરત ફરતી વખતે તેમનું બાઈક વીજપોલ સાથે અથડાયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે વીજપોલ પણ તૂટી ગયો હતો.


આ બનાવ અંગે મળતી માહિતી મુજબ સાળંગપુર બોટાદ રોડ ઉપર વૃંદાવન હોટલ પાસે રહેતા મૂળ અમદાવાદ જિલ્લાના વાસણા ગામના વતની અને હાલ રણછોડનગર તુરખા રોડ, બોટાદ ખાતે રહેતા મહેન્દ્રભાઈ ઉર્ફે મહેશભાઈ અરજણભાઈ ખાંદળા- દલવાડી (ઉંમર વર્ષ. 35) શુક્રવારે તેમના પુત્ર વેદાંત (ઉં.વ. 2)નો જન્મદિવસ હોવાથી પોતાનું બાઇક GJ-04 AB 9591 લઈને સાળંગપુર દર્શન કરવા ગયા હતા.


પિતા-પુત્ર બાઇક લઈને પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્મત નડ્યો હતો. સાંજના સમયે બાઈક ઉપરથી કાબૂ ગુમાવતા મોટરસાઇકલ સિમેન્ટના થાંભલા સાથે ટકરાયું હતું. જેના પગલે પિતા પુત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે બંન્નેના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. ઘટના બાદ સમગ્ર પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.