ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી રાજ્યમાં વધુને વધુ સક્રિય બની રહી છે. આ વખતે ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે તે વાત લગભગ નક્કી છે. ત્યારે ફરી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મનીષ સીસોદીયાનો બે દિવસ ગુજરાત પ્રવાસ ગોઠવાયો છે. 


ત્યારે ચર્ચાઈ રહ્યું છે કે આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાને વધુ એક ગેરન્ટી આપશે. આ વખતે ગુજરાતમાં નિઃશુલ્ક શિક્ષા અને સારવારની કેજરીવાલ જાહેરાત કરી શકે છે. અરવિંદ કેજરીવાલે ગુજરાત પ્રવાસ અંગે ટ્વીટ કરી આ માહિતી આપી છે. એટલું નહીં, આ વખતે ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ યુવાનો સાથે સંવાદ પણ કરશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube