મૌલિક ધામેચા/ગૌરવ પટેલ- અમદાવાદઃ અમદાવાદના અમરાઈવાડીમાં આજે 100 વર્ષ જૂનું એક મકાન તુટી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં કુલ મૃત્યુઆંક 3 પર પહોંચ્યો છે, જ્યારે હજુ પણ બે વ્યક્તિ કાટમાળમાં દટાયેલી છે. આ દુર્ઘટનામાં કુલ 9 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 7 વ્યક્તિને એલજી હોસ્પિટલમાં અને 2 વ્યક્તિને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમરાઈવાડીની બંગલાવાળી ચાલીમાં ધરાશાયી થયેલા આ મકાનના નામથી જ આ ચાલીનું નામ પડ્યું હતું. આ મકાનની ત્રણ દિવાલો કકડભૂસ થઈને તુટી પડી હતી. ત્રણ માળના મકાનમાં સુરી પરિવાર અને ભાડુઆત મળીને કુલ 12 સભ્યો રહેતા હતા. કુલ 12 સભ્યોમાંથી બે સદસ્ય બહાર ગયા હતા, જ્યારે બાકીના 10 વ્યક્તિ મકાન તુટી પડ્યું ત્યારે ઘરમાં હાજર હતી.


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....