ગૌરવ પટેલ, અમદાવાદઃ  અમદાવાદના નારોલથી વિશાલાને જોડતા શાસ્ત્રી બ્રિજને વાહનચાલકો માટે ખુલ્લો તો મુકી દેવાયો, પરંતુ બ્રિજ પર ડામરનું કામ ન કરાતા અહીંથી પસાર થવામાં વાહનચાલકોને ડર લાગી રહ્યો છે...સાડા ત્રણ કરોડના ખર્ચે બ્રિજનું સમારકામ કરાયું હોવાનો દાવો કરાયો છે પરંતુ બ્રિજના દ્રશ્યો જોઈને લાગશે કે આ કેવું સમારકામ થયું છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક બાજુનો બંધ બ્રિજ ફરી શરૂ કરાયો
ઓક્ટોબર મહિનો પૂરો થાય તે પહેલા બ્રિજ તો ખુલ્લો મુકી દેવાયો પણ હજુ ખાડા યથાવત જોવા મળી રહ્યા છે...ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2023માં શરૂ થયેલ બ્રિજની કામગીરી 6 માસમાં પૂર્ણ થનાર હતી,,જો કે નવ મહિના સુધી કામગીરી ચાલુ રહેતા સ્થાનિક ધારાસભ્ય અમિત ઠાકરે બ્રિજની મુલાકાત લીધી હતી...અને ઓક્ટોબર સુધીમાં બ્રિજ ખુલ્લો મુકવા ખાતરી આપી હતી...જો કે હવે ધારાસભ્ય અમિત ઠાકરે બ્રિજની કેવી કામગીરી થઈ છે તેની પણ જાણકારી લેવી જરૂરી છે.


ખેડૂતો માટે 1 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કરી શકે છે સરકાર, પાકને થયું હતું નુકસાન


આ બ્રિજ પર લાઈટની પણ વ્યવસ્થા નથી. એક તરફના રોડમાં તો ખાડાઓ પડી ગયા છે. રાત્રીના સમયે તો વાહન ચલાવવું ખુબ મુશ્કેલ બની જાય છે. આ રોડ પર દરરોજ હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે. પરંતુ તંત્રની ઢીલી નીતિને કારણે લોકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવે છે.