Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રણેય પક્ષો એક્શનમાં આવી ગયા છે. હવે વાર પલટવારની સ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદ શહેર ભાજપના કથિત પત્રથી રાજકારણમાં એક નવો જ વિવાદ સામે આવ્યો છે. ભાજપના કથિત પત્રથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. અમદાવાદ શહેર ભાજપ ચૂંટણીમાં બુટલેગરોનો સહારો લેતી હોવાનો મનીષ દોશીએ દાવો કર્યો છે. બીજી બાજુ ભાજપ શહેર પ્રમુખ અમિત શાહે કથિક પત્ર વાઈરલ મામલે જણાવ્યું છે કે અમારા પત્ર સાથે છેડછાડ કરીને ખોટો પત્ર વાયરલ કરાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ શહેર ભાજપના પત્રને લઈને કોંગ્રેસે અનેક સવાલ ઉઠાવ્યા છે. કથિક પત્રમાં 13માં નંબરના મુદ્દામાં ભાજપ સમર્થક ન હોય તેવા બુટલેગરોની યાદી બનાવવા આદેશ કરાયો છે. હવે ભાજપના પત્રમાં બુટલેગરોનો ઉલ્લેખ કેમ તે એક મોટો સવાલ ઉભો થયો છે. કોંગ્રેસે જણાવ્યું છે કે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બુટલેગરોનો સાથ મળતો હોય તેવું એક કથિત પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેની કારણે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ચૂંટણી વ્યવસ્થા માટે કરાયેલ પત્રમાં ચોંકાવનાર મુદ્દો સામે આવ્યો છે. ભાજપે અમદાવાદના હોદ્દેદારો પાસે એમની સાથે ના હોય એવા બુટલેગરોનું લિસ્ટ મંગાવ્યું છે. પત્રમાં 13 નંબરના મુદ્દામાં આપણા સમર્થક ના હોય એવા બુટલેગરોની યાદી જલ્દી મોકલવા સૂચના કરવામાં આવી છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube