ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ રવિવારે અમદાવાદીઓને મહત્વના અપડેટ આપ્યા હતા કે, અમદાવાદના 5 બ્રિજ અવરજવર માટે બંધ કરવામાં આવ્યા છે. પૂર્વથી પશ્ચિમ જવા માટેના આ બ્રિજ બંધ કરાયા છે. ટ્રાફિક માટે આ પાંચ બ્રિજને સંપૂર્ણપણે બંધ કરાયા છે. આ પાંચ બ્રિજમાં ગાંધી બ્રિજ, દધિચિ બ્રિજ, સરદાર બ્રિજ, નહેરુ બ્રિજ અને આંબેડકર બ્રિજ બંધ કરવામાં આવ્યા છે. જેની પાસે પાસ હોય કે નહિ, તેમજ મહાનગરપાલિકાના કોઈ પણ કર્મચારીઓ આ બ્રિજનો ઉપયોગ નહિ કરી શકે. બાકીના બ્રિજ પરથી આવશ્યક ચીજવસ્તુઓ સાથે જતા લોકોને ચકાસણી સાથે પરવાનગી આપવામાં આવશે. સુભાષ અને એલિસબ્રિજ ખુલ્લા રાખવામાં આવ્યા છે, જ્યાં અવરજવર કરી શકાશે.


ગાંધીનગરના આકાશમાંથી કોરોના વોરિયર્સ માટે પુષ્પવર્ષા, વડોદરામાં આર્મીએ હોસ્પિટલ બહાર બેન્ડ વગાડ્યું