ઉદય રંજન/અમદાવાદ: વસ્ત્રાપુર વિસ્તારમાંથી શ્રમિક પરિવારની બાળકીનું અપહરણ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે એક આરોપીની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે આરોપીએ બાળકીનું અપહરણ દુષ્કર્મ કરવા માટે લઇ ગયો હતો, પણ શેરી શ્વાનને ભસતા બાળકીની મૂકીને ફરાર થઇ ગયો હતો. બનાવની વાત કરીએ તો ગઈ તારીખ 20મી જૂનની રાત્રે અમદાવાદ શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની હદમાં ફૂટપાથ પર રહેતા એક શ્રમિક પરિવારની બે દિકરી પૈકીની 2 વર્ષીય પુત્રીનું અપહરણ થયું હતું. જે પરિવાર મૂળ પાટણ જિલ્લા છે. પરિવાર ગત 20 જૂનની રાત્રે વસ્ત્રાપુર વિસ્તારમાં ફૂટપાથ પર રાત્રિના 10 કલાકે સૂઈ ગયો હતો. પતિ-પત્ની બે પુત્રીઓ સાથે ફૂટપાથ પર ખાટલામાં સુતા હતા. તે સમયે કોઈ અજાણ્યો શખ્સ બે વર્ષની બાળકીનું અપહરણ કરી ફરાર થઇ ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિસ્તારોમાં પુર આવશે, 10 ઇંચથી વધુ વરસાદ પડશે, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આભ ફાટ


તારીખ 21 જૂનની રાતે 1 કલાકે પિતા ઉંઘમાંથી જાગતાની સાથે તો તેમની બે પુત્રીઓ પૈકી નાની પુત્રી ગુમ હોવાનું જાણતા પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા વસ્ત્રાપુર પોલીસ ઘટના સ્થળથી તપાસની શરૂવાત કરી હતી. ત્યારે જ વસ્ત્રાપુર પોલીસની તપાસ દરમિયાન પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન આવે છે કે એક નાની બાળકી વસ્ત્રાપુર તળાવ પાસે રડતી મળી આવી છે. 


NEET UG પરીક્ષામાં ગેરરીતિ મામલે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, તપાસ CBIને સોંપાઈ


અપહ્યુત બાળકીના પિતાને જાણ થતાં તેઓ પણ વસ્ત્રાપુર તળાવ ખાતે પોલીસ સાથે પહોંચી જાય છે ત્યારે અપહ્યુત દીકરી મળી આવે છે. આ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં 21 જૂનની વહેલી સવારે અજાણ્યા શખ્સ સામે અપહરણનો ગુનો નોંધી તપાસ શરુ કરે છે સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ પણ તપાસમાં જોડાય છે. ત્યારે બાળકી તો સહી સલામત મળી આવી હતી પણ આરોપીને પકડવા માટેથી અમદાવાદ ક્રાઈમ બ્રાંચ સતત 36 કલાકની મહેનત અને સીસીટીવી તપાસ્યા બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાંચને સીસીટીવીમાં એક શકમંદ દેખાય છે. જેની વધુ તપાસ કરવામાં આવે છે ત્યારે આરોપી વિજય મહતો જે મૂળ બિહારના સુધી પહોંચે છે. 


રોંગ સાઈડમાં જતા વાહન ચાલકો ચેતજો! સુરતમાં પોલીસે બોલાવ્યો સપાટો, ફરી રહી છે 80 ટીમો


આરોપી વસ્ત્રાપુરની હયાત અને સેટેલાઈટ મેરિયોટ હોટેલમાં વાસણ ધોવાનું કામ કરે છે. આરોપી વિજય મહતોની ધરપકડ કરી બાળકીનું અપહરણ કેમ કર્યું હતું એ બાબતે પૂછતાં જાણવા મળ્યું હતું કે આરોપી વિજય મહતો બાળકી સાથે દુષ્કર્મ કરવાના ઈરાદે તેનું અપહરણ કર્યું હતું. અપહરણ કર્યા બાદ તેને એકાંત વાળા વિસ્તાર એટલે કે, વસ્ત્રાપુર તળાવ ખાતે લઈ ગયો હતો. 


ગુજરાતમાં દારૂ બંધીના ધજાગરા! હવે ગલ્લામાં દારૂનું વેચાણ, ચખના સાથે સ્પેશિયલ વ્યવસ્


જો કે, બાળકી દુષ્કર્મ નો ભોગ બને તે પહેલા આરોપી વિજય મહતો પાછળ શેરી શ્વાન પાછળ થયા હતા જેના ડર થી બાળકી ને વસ્ત્રાપુર તપાવ માં મૂકી ને ફરાર થઇ ગયો હતો અને સદનસીબે બાળકી નું જીવન બચી ગયું હતું. ત્યારે પોલીસે આરોપી વિજય મહતો નો ગુજરાત કે બિહાર માં ગુનાહિત ઇતિહાસ છે કે કેમ એ અંગે તપાસ શરુ કરી છે.