ગૌરવ પટેલ/અમદાવાદ :સુખભાદર ડેમ ઓવરફ્લો થવાને કારણે ધંધુકાથી અમદાવાદ તરફ 1 કિલોમીટરના અંતરે પાણી વહેતુ હોવાથી ધંધુકા-ફેદરા/અમદાવાદ અને ધંધુકા-લીમડી હાઇવે બંધ કરવામાં આવ્યો છે. અમદાવાદ કલેક્ટરે ટ્વિટ કરીને તેની માહિતી આપી છે. સુખભાદર ડેમના દરવાજા ખોલી દેવાતા હાઈવે પર પાણીનો ફ્લો વધ્યો છે. જેને કારણે મહત્વનો એવો સ્ટેટ હાઈવે બંધ થયો છે. હાઈવે બંધ થતા હજારો વાહનો અટવાયા છે. હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ધંધુકાના આ હાઈવે પર રોજના લાખો લોકો અવરજવર કરતા હોય છે. તેથી જો તે બંધ રહે તો મોટી અસર થઈ શકે છે. 


નર્મદાનાં પૂરે વિનાશક રૂપ ધારણ કર્યું, ગરુડેશ્વરનું નર્મદેશ્વર મહાદેવ મંદિર પાણીના વહેણમાં આખેઆખું તૂટ્યું  


નર્મદાથી પળેપળના અપડેટ : ભરૂચમાં ઝૂપડપટ્ટી પાણીમાં ગરકાવ, 2500થી વધુનું સ્થળાંતર કરાયું  


9.5 ઈંચ વરસાદથી જામનગર જળબંબાકાર, આખી રાત રેસ્ક્યૂ માટે દોડતી રહી ફાયરની ટીમ