Ahmedabad New : અમદાવાદીઓ માટે ફરી એકવાર ફ્લાવર શો તૈયાર થઈ રહ્યો છે. 30 ડિસેમ્બરથી શરૂ થનારા ફ્લાવર શો માટે એએમસી દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. આ વર્ષનો ફ્લાવર શો ખાસ બની રહેશે. આ વર્ષના ફ્લાવર શોમાં દેશ-વિદેશના અવનવા ફૂલોની વેરાયટી જોવા મળશે. 12 વર્ષથી નાના બાળકો માટે એન્ટ્રી ફ્રી રહેશે. 30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી 17 દિવસ સુધી ફ્લાવર શો ચાલશે. 12 વર્ષથી ઉપરના લોકો માટે સોમવારથી શુક્રવારે 50 રૂપિયા પ્રવેશ ફી રાખવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 2013થી અમદાવાદમાં ફ્લાવર શૉનું આયોજન થાય છે. એએમસી (amc) દ્વારા આગામી ફ્લાવર શોની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 10 માં ફલાવર શોની આગામી 30 ડિસેમ્બરે મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ થશે. આ વર્ષે આત્મનિર્ભર ભારત, મીલેટ્સ વર્ષ, મહિલા સશક્તિકરણ અંતર્ગત ફ્લાવર શોની થીમ રહેશે. મીલેટ્સ વર્ષની ઉજવણી હેઠળ ફ્લાવર શો સમયે ફૂડ સ્ટોલમાં મહત્તમ મીલેટ્સ આઈટમ રાખવામાં આવશે. તો 150 થી વધુ પ્રજાતિના 7 લાખથી વધુ રોપાની મજા મુલાકાતીઓ માણી શકશે.


મોજશોખ માટે આખા ગુજરાતમાં તરખાટ મચાવનાર મહાઠગ ઝડપાયો, લક્ઝુરિયસ કારનો છે શોખીન 


વિશ્વની સૌથી લાંબી ફ્લાવર વોલ બનાવાશે 
30 ડિસેમ્બર થી 15 જાન્યુઆરી મળી કુલ 17 દિવસ ફલાવર શો ચાલશે. amc ના અત્યાર સુધી યોજાયેલા ફલાવર શોમાં આગામી ફલાવર શો સૌથી વધુ દિવસોનો રહેશે. 17 દિવસ દરમ્યાન મળી 10 લાખથી વધુ લોકો મુલાકાત કે એવી સંભાવના છે. આગામી ફલાવર શોમાં amc દ્વારા વિશ્વની સૌથી લાંબી ફલાવર વોલ બનાવવાનું આયોજન કરાયું છે. 400 મીટર લંબાઈનું ફલાવર સ્ટ્રક્ચર બનાવવા amc નું આયોજન છે. 


કયા કયા પ્લાન્ટ હશે  
પીટૂનીયા, ડાયંથસ, સેવંતી, ગજેનિયા , બીગુનિયા , એસ્ટર , મેરીગોલ્ડ , કેક્ટસ , ઓર્ચિડ , લીલી , ગુલાબ સહિતની પ્રજાતિઓના છોડ રોપા જોવા મળશે.


હજારો વર્ષો પહેલા દરિયામાં ડૂબેલી દ્વારકા નગરીના દર્શન માટે સરકારનો મોટો પ્રોજેક્ટ


કેવી ડિઝાઈન હશે 
આ વર્ષના ફ્લાવર શોમાં મુખ્ય આકર્ષમ સરદાર પટેલનું સ્ચેચ્યુ હશે. આ ઉપરાંત નવા સંસદભવન, વડનગર તોરણ, ચંદ્રયાન , સરદાર પટેલ ઉપરાંત પશુ પક્ષીઓના ફૂલોથી બનેલા સ્કલ્પ્ચર મુખ્ય આકર્ષણ બની રહેશે.


કેટલી હશે ફી 
સોમવારથી શુક્રવાર દરમિયાન ફ્લાવર શોમાં 12 વર્ષથી ઉપરના માટે રૂપિયા 50 ફી રાખવામા આવી છે. તો શનિવાર અને રવિવાર માટે રૂ.75 પ્રવેશ ફી રાખવામાં આવશે. શાળા તરફથી આવતા બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. મુલાકાતીઓ માટે પૂરતી પાર્કિંગ વ્યવસ્થા  પણ ઉભી કરવામાં આવશે. 


તો બીજી તરફ, 31 ડિસેમ્બર સુધી ચાલનારા કાંકરિયા કાર્નિવલનો આજથી પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કાંકરિયા કાર્નિવલ ખુલ્લો મૂકાયો. જેમાં હજારોની સંખ્યામાં લોકો કાંકરિયા કાર્નિવલનો લાભ લેશે.


ગુજરાતના 1600 કિમી લાંબા દરિયા પર મોટું સંકટ : બીચ પણ ગાયબ થઈ જશે, અભ્યાસમાં ખુલાસો