આશ્કા જાની/અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે ગાંધી આશ્રમના રી-ડેવલપમેન્ટને લઈને એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ગાંધી આશ્રમના રી ડેવલપમેન્ટને હાઇકોર્ટની લીલીઝંડી મળી ગઈ છે. હવે હાઈકોર્ટના ચુકાદા બાદ ગાંધી આશ્રમના આજુબાજુના વિસ્તારને રી ડેવલપમેન્ટ કરી શકાશે. તુષાર ગાંધીએ ગાંધી આશ્રમના રી-ડેવલપમેન્ટ અટકાવવા અરજી કરી હતી. પરંતુ પ્રોજેક્ટને લઇ હાઇકોર્ટે મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઈએ કે અગાઉ ગાંધી આશ્રમના રી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પર રોક લગાવવા હાઈકોર્ટમાં એક અરજી થઈ હતી. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું છે કે ગાંધી વિચારોને પ્રાધાન્ય મળે તે સારી બાબત છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube