અમદાવાદ: શહેરમાં હાલ મચ્છરજન્ય રોગચાળાએ માજા મૂકી છે. વરસાદી પાણી અથવા ભરાવા થયેલા ચોખ્ખા પાણીમાં મલેરિયા અને ડેન્ગ્યુના મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. જેની સામે AMCનું આરોગ્ય વિભાગ કામગીરી કરતુ હોવાના બણગા ફૂંકે છે. પણ ફોગીંગ, દવાનો છંટકાવ, લાર્વાની વિવિધ સાઇટ્સ ઉપર જઈ તપાસ કરવાની કામગીરી માત્ર ખાનગી એકમો સુધી જ સીમિત છે. તેની સામે AMCની ખુદની સંસ્થાઓ મચ્છરો માટેનું નગર બની ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હેલ્થ વિભાગની મેલેરિયા ટીમ દર રોજ જુદા જુદા ખાનગી સ્થળોએ જઈ મચ્છરોના લાર્વાની તપાસ હાથ ધરે છે. Amc જે સાઈટ ઉપર મચ્છરોના લાર્વા મળી આવે ત્યાંથી દંડ વસુલ કરે છે. એકમને સીલ કરી દે છે પણ ખુદની પ્રિમાઇસિસમાં કોઈ કામગીરી કરતી નથી. આ માટેનું રિયાલિટી ચેક કરવા અમરાઈવાળી AMCના ગોડાઉન, ગોમતીપુર કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અને સરસપુરના સ્નાનાગારમા તપાસ કરી હતી. અહીંની સ્થિતિ આરોગ્ય વિભાગના તમામ દાવાઓ ઉપર મોટા સવાલો ઉભા કરી રહી છે. છેલ્લા ત્રણ મહિનામાં મનપા એ લોકો પાસેથી 5 લાખ જેટલો દંડ વસુલ કર્યો છે. જયારે છેલ્લા 15 દિવસમાં 45 હજારથી વધુનો વહીવટી દંડ વસુલ કર્યો હોવાનું હેલ્થ કમિટીના ચેરમેન જણાવી રહ્યા છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube