મૌલિક ધામેચા /અમદાવાદ : અમદાવાદમાં ફરી એક વખત ખૂની ખેલ ખેલાયો .પતિ-પત્ની વચ્ચેના ઘરકંકાસમાં પતિએ છરીના ઘા મારીને પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી છે. જો કે પત્નીના મૃત્યુ અને પતિના જેલ જવાથી ત્રણ માસૂમ દીકરીઓ હવે નિરાધાર બની ગઈ છે. શહેરના નિકોલ વિસ્તારમાં આવેલ સંસ્કૃત રેસિડેન્સીમાં બપોરના સમય પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પતિએ પત્નીને ગળાના ભાગે છરીના ઉપરા છાપરી ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. જોકે નિકોલ પોલીસને જાણ કરતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Bharuch: પત્નીની હત્યા કરી પતિનો આપઘાત, પોલીસે દરવાજો ખોલ્યો તો લોહીની નદી


નિકોલની સંસ્કૃત રેસીડેન્સી બી બ્લોકમાં મકાન નબર 105 માં રહેતા મિતેષ ભાનું બપોરે તેમની પત્ની અને માતા પિતા ઘરે હાજર હતા. જ્યારે ત્રણ બાળકીઓ પડોશમાં રમવા માટે ગઈ તે દરમિયાન આરોપી મિતેષને તેની પત્ની પીનલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બાદમાં બેડરૂમમાં લઇ જઇ દરવાજો અંદરથી બંધ કરીને ગળા પર છરીના ઘા મારી તેની હત્યા કરી દીધી હતી. હત્યા કર્યા બાદ પતિ મિતેષ ભાંગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો પણ પતિ મિતેષના પિતાને જાણ થતાં જ તેમને પોલીસને જાણ કરી હતી. 


GUJARAT CORONA UPDATE: રાજ્યમાં નવા 2875, 2024 સાજા થયા, 14 લોકોનાં મોત


આરોપી મિતેષને પોલીસને હવાલે કર્યો હતો, ત્યારે આ ઘટનામાં 3 માસૂમ બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી અને પિતા જેલ હલાવે જતા બાળકીઓ નિરાધાર બની છે. પોલીસનું કહેવું છે કે આ દંપતી વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ઝઘડા ચાલી રહ્યા હતા. તેને લઇને મૃતક પત્ની પિનલ તેના પિયર પણ જતા રહ્યા હતા. જો કે પંદર દિવસ પહેલા આરોપી તેને અહી લઈ આવ્યો હતો. પરંતુ ઘર કંકાસ બંધ ના થતા અંતે તેનું પરિણામ લોહિયાળ આવ્યું છે. ત્યારે પોલીસ પૂછપરછ કરતા આરોપી મિતેષ કોઈ કામધધો કરતો ન હોવાથી પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો.જેના કારણે આવેશમાં આવી જઈ પતિએ પત્ની ક્રૂરતા પૂર્વક હત્યા કરી દીધી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube