ગૌરવ પટેલ/અમદાવાદ: હાલ એક દુ:ખદ સમાચાર મળી રહ્યા છે. સેવાના ઇલાબેન ભટ્ટનું નિધન થયું છે. બીમારી બાદ સેવાના ઇલાબેન ભટ્ટ 89 વર્ષની વયે હોસ્પિટલમાં નિધન થયું છે. ઇલાબેને મહિલાઓ માટે 'સેવા' સંસ્થાની સ્થાપના કરી હતી.


ઇલાબેન તેમના જીવનકાળ દરમિયાન અનેક મહિલાઓ માટે કામ કર્યું છે. ઇલાબેન રેમોન મેગ્સેસે સાથે અનેક આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા રહ્યા છે. છેલ્લે ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ પદે પણ સેવા આપી રહ્યા હતા. સેવાના ઇલાબેન ભટ્ટને અનેક એવોર્ડ મળ્યા છે, જેમાં પદ્મશ્રી, પદ્મભૂષણ, રાઈટ લાઈવલીહુડ એવોર્ડ પણ પ્રાપ્ત થયા હતા.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube