આશ્કા જાની/અમદાવાદ: ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાની તડામાર તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. રથયાત્રાના આગલા દિવસે ભગવાન જગન્નાથજી સોનાવેશ ધારણ કરે છે. એવું કહેવાય છે કે વર્ષમાં એક વખત ભગવાન જગન્નાથજી સોનાવેશ ધારણ કરે છે. તો ઘરે બેઠા કરો ભગવાન જગન્નાથજીના સોનાવેશ દર્શન. મહત્વનું છે કે, ભગવાનને આજે સોનાના આભૂષણોથી શણગારવામાં આવ્યા છે. પીળા વાધા અને સોનાના ઘરેણાથી સજ્જ ભગવાન જગન્નાથજીનું સ્વરૂપ દેદીપ્યમાન લાગી રહ્યું છે. સોનાવેશના પ્રસંગે દરવર્ષે શ્રદ્ધાળુંઓ ભગવાનને વિવિધ પ્રકારની ભેટ અર્પણ કરતા હોય છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube