મૌલિક ધામેચા/અમદાવાદ: સરદારનગરમાં મોડી રાત્રે યુવકની હત્યાની કરવામાં આવી. બનાવ ને પગલે પોલીસને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પોહચી બનાવ અંગે કારણ જાણવા પ્રયત્ન કર્યો. જોકે મૃતક યુવકને તેના જ મિત્રએ પ્રેમીકા સાથે સંબંધ રાખવા બાબતે છરીના ઘા મારી હત્યા કરી નાખી હોવાની વાત જાણવા મળી.જે સમગ્ર બાબતને લઇને પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

TMKOC: આ દિગ્ગજ કલાકારે પહેલીવાર જણાવ્યું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છોડવાનું કારણ!


પોલીસ કસ્ટડીમાં રહેલા આ આરોપી પર પોતાના જ મિત્રની હત્યાનો આરોપ લાગ્યો છે.આરોપીનું નામ છે લક્ષ્મણ ઉર્ફે લખુ ઠાકોર. છેલ્લા ઘણા સમયથી મૃતક સુનિલ અને આરોપી લક્ષ્મણ બન્ને મિત્રો હતા. પણ આ મિત્રતા કેમ દુશ્મનીમાં ફેરવાઈ ? તેની પાછળ નું કારણ આપ સાંભળશો તો મિત્રો પણ આપને પણ શંકા થવા લાગશે. વાત જાણે એમ હતી કે સરદારનગરમાં રહેતો સુમિત અડવાણી તેના પરિવાર સાથે રહેતો હતો. તેની પત્ની દિપીકાને રાત્રે કોઇ વ્યક્તિનો ફોન આવ્યો કે તેના પતિને કોઇએ છરીના ઘા માર્યા છે.જેથી દિપીકાએ તેમના સસરાને જાણ કરી.


વાયુવેગે વાયરલ થઈ રહી છે મેસ્સીની ફેન મિસ બમ્બમની હોટ તસવીરો!


આ અંગે જાણ થતાં જ જી વોર્ડ ખાતે તમામ લોકો પહોંચ્યા.જ્યાં જઇને જોયું તો સુમિત અડવાણી લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો.જેને 108માં ફરજ બજાવતા ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો.સમગ્ર બાબતને લઇને તપાસ કરતા મૃતક સુમિતના મિત્ર લક્ષ્મણ ઉર્ફે લખુ ઠાકોરે જ તેની હત્યા કરી નાખી ફરાર થઇ ગયેલો હોવાનું જાણવા મળ્યું. 


Hiroo Joharની ઈચ્છા હતી કે Ekta Kapoor સાથે થાય દીકરાના લગ્ન, પણ કરને મુકી આ શરત...


જોકે આ અંગે પોલીસે ફરિયાદ નોંધી તાત્કાલિક આરોપીને ઝડપવા ચક્રોગતિમાન કર્યા.અને હત્યા કેસમાં સંડોવાયેલા આરોપીલક્ષ્મણ ઉર્ફે લખા ઠાકોરની ધરપકડ કરી. જોકે આરોપીની પોલીસે પૂછપરછ કરતા એવી હકીકત સામે આવી કે લક્ષ્મણ ની પ્રેમિકાને લઇને સુમિત ભાગી ગયો જેની અદાવત રાખી લક્ષ્મણે હત્યાને અંજામ આપ્યો. જોકે હાલ માં પોલીસ વધુ તપાસ માટે સાયોગિક પુરાવા એકત્રિત કરી આરોપીને જેલ હવાલે કરશે.