મૌલિક ધામેચા/અમદાવાદ : સાબરમતી નદીમાંથી માત્ર એક માસની બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. પૂર્વ રિવરફ્રન્ટ જમાલપુર બ્રિજ તરફના રસ્તા પર નદીના પાણીમાં એક બાળકીનો મૃતદેહ તરી રહ્યો હોવાની જાણકારી પોલીસને મળી હતી. જેથી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. અને બાળકીની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARATમાં ઘટશે પેટ્રોલ-ડીઝલના ભાવ? નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપી આ ફોર્મ્યૂલા!


જો કે હાલ સુધી બાળકીની કોઈ ઓળખ થઈ શકી ન હતી. જ્યારે બાળકીના શરીર પર કોઈ ઇજાના નિશાન પણ મળી આવ્યા નથી. અને ઓળખ માટેના કોઈ નિશાન પણ મળી આવ્યા નથી. જો કે પોલીસ ને આશંકા છે કે બાળકીની ઉંમર એકાદ મહિનાની હોય શકે છે. હાલ માં પોલીસે બાળકીના મૃતદેહ ને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ શરૂ કરી છે. આ બાળકીને કોણ નાખી ગયું છે ? તે અંગેની જાણકારી મેળવવા માટે પોલીસ એ આસપાસના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ મેળવવાની પણ તજવીજ શરૂ કરી છે.


AHMEDABAD: BRTS ની અનોખી પહેલ, હવે 10 રૂપિયામાં તમારા મનપસંદ સ્થળે પહોંચો


અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ગુજરાતમાં ભ્રુણ હત્યાના કિસ્સામાં અચાનક ઉછાળો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં હાલમાં જ પંચમહાલમાં જાહેરમાં ભ્રુણ હત્યાનો એક વીડિયો વાયરલ થયો હતો. જેના પર તંત્ર દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવાની સરકારે જાહેરાત કરી હતી. ત્યાં અમદાવાદનાં સાબરમતીમાં બાળકી તરતી મળી આવતા ચકચાર મચી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube